ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર 12 જૂનના રોજ બપોરે એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જ્યારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કુલ 242 લોકો સાથે લંડન માટે ઉડાન ભરી હતી. રનવે પરથી ટેકઓફ થયાના લગભગ 9 મિનિટ પછી મેઘાણી નગર વિસ્તારમાં એર ઈન્ડિયાની આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી.
આ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દેશભરના લોકો આઘાતમાં હતા, તો રમતગમત જગતના ખેલાડીઓએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ વિમાન દુર્ઘટના વિશે માહિતી આપી હતી કે ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો હતા.
હાર્દિક પંડ્યાએ વ્યક્ત કર્યું દુ:ખ
અમદાવાદ વિમાન દુર્ઘટના પર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ સતત શોક વ્યક્ત કરી રહ્યા છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને લખ્યું, “અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું. હું અસરગ્રસ્ત લોકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું કે તેઓને આ સહન કરવાની શક્તિ મળે.”
યુવરાજ સિંહે આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું છે કે “અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના વિશે હૃદયદ્રાવક સમાચાર. અસરગ્રસ્ત મુસાફરો, ક્રૂ અને પરિવારો માટે સંવેદના અને પ્રાર્થના. આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે.”
મિતાલી રાજે વ્યક્ત કર્યું દુ:ખ
ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે પણ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું જેમાં તેમને લખ્યું હતું કે, “અમદાવાદથી દુઃખદ સમાચાર. એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે પ્રાર્થના.”
ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ આ અકસ્માતના સમાચાર વિશે લખ્યું હતું કે, “અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના સમાચારથી હું સંપૂર્ણપણે આઘાત પામી છું. હું પ્રાર્થના કરું છું કે ભગવાન બધા મૃતકોના પીડિત પરિવારોને શક્તિ આપે. આ દુઃખદ ક્ષણમાં, આપણે બધા શોકમાં એક છીએ.