- નિકોલ પોલીસ સ્ટેશનમાં PSI બન્યા માનસિક ત્રાસનો ભોગ
- PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ
- DCP એ આપ્યા ખાતાકીય તપાસના આદેશ
અમદાવાદમાં આવેલા નિકોલ પોલીસ સ્ટેશનના PSI જ્યંતિ શિયાળે આપવીતિ જણાવતો પત્ર સોશિયલ મીડિયા પર વહેતો કર્યો છે. જોકે આ પત્ર PSI જ્યંતિ શિયાળે DGP અને ગૃહ વિભાગને મોકલી આપ્યો છે. આ પત્રના માધ્યમથી PSI જ્યંતિ શિયાળે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે DCPએ નિકોલ PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાતા પોલીસ સ્ટાફમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, PSI જ્યંતિ શિયાળે જાહેર કરેલા પત્રમાં લખ્યું હતું કે, વર્ષ 2022 માં PSI તરીકે જ્યંતિ શિયાળની નિમણૂક થઈ હતી. પરંતુ તેઓએ જ્યારથી ફરજ પર કમાન સંભાળી છે, ત્યારથી તેમને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમને પોલીસ સ્ટેશન ની અંદર અન્ય કર્મચારીની સરખામણીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તે ઉપરાંત કોઈ પણ ભૂલ થાય ત્યારે અન્ય કર્મચારીઓની સામે ગાળો બોલીને અપમાનિત કરવામાં આવતા હોવાની આપવીતિ વર્ણવી હતી. સમગ્ર મામલે DCPએ નિકોલ PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાતા પોલીસ સ્ટાફમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
તેમજ તેમણે આગળ જણાવ્યુ કે, PI કે. ડી. જાટ અને પોલીસ સ્ટેશનમાં વર્ધી ફાળવતા અધિકારી હોટલમાં બેસીને અનેક પાર્ટીઓ કરતા હતા. આ ઘટનાની જાણ નિકોલ પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસ અધિકારીઓને છે. તેમ છતા કોઈ પણ દ્વારા કોઈ પોલીસ અધિકારી આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા નથી. તેની સાથે મારા દ્વારા ઉકેલવામાં આવેલા કેસનો શ્રેય પણ તેઓ બિજાને આપતા હતા. તે ઉપરાંત અનેક નાની-મોટી બાબતો અને ઘટનાઓમાં મને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અનેકવાર આવી ઘટનાઓથી પીડાઈને મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ અંગે મેં મારા પરિવારને પણ જાણ કરી છે. હાલમાં, હું મારા પરિવાર સાથે બહારગામ જાવ છું. આશા છે કે આ ઘટનાને લઈ કોઈ નિરાકરણ આવશે.


