અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બે મિનિટમાં જ વિમાનના ટુકડા થઈ ગયા. જે જગ્યાએ વિમાન ક્રેશ થયું ત્યાં કાળો ધુમાડો ખૂબ ઊંચાઈ સુધી ઉડતો જોવા મળ્યો.
ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ અને આગ ઓલવવા માટે 7 ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. આ દુ:ખદ અકસ્માત અંગે વિરાટ કોહલીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિરાટ કોહલીએ કહ્યું કે તે આ ઘટનાથી સંપૂર્ણપણે સ્તબ્ધ છે.
પ્લેન ક્રેશ દુર્ઘટના પર વિરાટ કોહલીએ શું કીધું?
વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતાં અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેને લખ્યું છે કે ‘આજે અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે સ્તબ્ધ છું’. આ દુર્ઘટનાના શિકાર બનેલા લોકો માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવારજનો માટે મારી સંવેદના વ્યક્ત કરું છું.
રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા
વિરાટ કોહલી પહેલા રોહિત શર્માએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. હિટમેને લખ્યું હતું કે ‘અમદાવાદથી ખૂબ જ દુ:ખી અને હૃદયદ્રાવક સમાચાર’. હું તે લોકો અને તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરી રહ્યો છું, જેને આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહે પણ આ દુર્ઘટનાને લઈને ટ્વિટ કર્યું છે. તેને કહ્યું કે અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટનાથી હું સ્તબ્ધ અને દુ:ખી છું. ઈરફાન પઠાણે પણ આ દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.
2 મિનિટમાં જ ક્રેશ થયું પ્લેન
એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું. વિમાન ઉડાન ભરતાની સાથે જ તેનું સંતુલન ખોરવાઈ ગયું અને બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વિમાન સળગતું જોવા મળ્યું. વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં જોરદાર વિસ્ફોટ સંભળાયો અને થોડીવારમાં જ બધે કાળો ધુમાડો ફેલાઈ ગયો. આ અકસ્માત સમયે વિમાનમાં 242 મુસાફરો હાજર હતા.