By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કથિત કસ્ટોડીયલ ડેથ મામલો : પોલીસ કમિશનર ધગ્યા નહીં, હાઇકોર્ટની ફટકાર પડતાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

કથિત કસ્ટોડીયલ ડેથ મામલો : પોલીસ કમિશનર ધગ્યા નહીં, હાઇકોર્ટની ફટકાર પડતાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો

agragujaratnews
Last updated: 2024/07/16 at 7:56 PM
2 years ago
Share
કથિત કસ્ટોડીયલ ડેથ મામલો : પોલીસ કમિશનર ધગ્યા નહીં, હાઇકોર્ટની ફટકાર પડતાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો
SHARE

12 એપ્રિલની 70 વર્ષીય વૃદ્ધના મોતની ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અસંખ્ય ઈજાઓ, લીવર અને આંતરડાના ભાગે ઘા લાગવાથી મોત થયા નો ઉલ્લેખ છતાં તંત્રએ દાખવી નીભરતા

રાજકોટના મોરબી રોડ પરથી ગત 12 એપ્રિલના રોજ 70 વર્ષીય વૃદ્ધ કે જેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તે શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખાતે પીએમ કરાવાયું હતું. તેમાં અસંખ્ય ઈજાઓ અને લીવર તથા આંતરડાના ભાગે ઘા વાગવાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. છતાં નીંભર તંત્રએ અને હત્યાના બનાવો છુપાવવામાં માહિર એવી કુવાડવા પોલીસે કથિત કસ્ટોડિયલ ડેથ છુપાવવા માટે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો ન હતો. હવે આ મામલે હાઇકોર્ટની ફટકાર બાદ કુવાડવા પોલીસને હત્યાનો ગુનો દાખલ કરવો પડ્યો છે.

Contents
12 એપ્રિલની 70 વર્ષીય વૃદ્ધના મોતની ઘટનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અસંખ્ય ઈજાઓ, લીવર અને આંતરડાના ભાગે ઘા લાગવાથી મોત થયા નો ઉલ્લેખ છતાં તંત્રએ દાખવી નીભરતાહત્યાના બનાવો છુપાવવામાં માહિર કુવાડવાના વિવાદિત PI સહિત 6 ની આંતરિક બદલી

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ વેલનાથપરા ૧૯ માં રહેતા અને રાજ સિક્યુરિટીમાં ફરજ બજાવતા અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરા ગત તારીખ 12/4 ના રોજ નોકરી પર જવા નીકળ્યા બાદ ગૌરીદડ ગામ પાસે આવેલા પંપથી થોડે આગળ વીડીની જગ્યા પરથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તે સમયે અમરશીભાઈના પરિવારજનોને જાણ કરાતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તે સમયે અમરશીભાઈ કહેતા હતા કે મને પડખાના ભાગે બહુ દુખે છે મને બહુ મારેલ છે અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા અને છ દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે હોસ્પિટલ સ્ટાફ દ્વારા નોંધ પણ કરવામાં આવી હતી. છતાં કુવાડવા રોડ પોલીસ દ્વારા આ વૃદ્ધનું મોત કયા કારણોસર થયું તે અંગેની કોઈ તપાસ જ કરવામાં આવી ન હતી જેથી પરિવારને પહેલેથી પોલીસ સામે શંકા હતી અને આ ઘટના હત્યાની હોવાનું તેઓ જાણતા હતા.

અમરશીભાઈના પુત્ર આનંદ અને સગા સંબંધીઓ દ્વારા ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી ત્યારે ચોકાવનારી માહિતી મળી હતી કે, 12 એપ્રિલે ગૌરીદડ ગામે યોજાયેલી સપ્તાહમાં તેમના પિતા ફરજ પર ગયા હતા 11:30 એ કોઈ માથાકૂટ થતા કંટ્રોલ રૂમને કોઈએ ફોન કરતા પીસીઆર વાન આવી હતી અને તેમાં બેઠેલા ચાર વ્યક્તિઓ અમરશીભાઈને પીસીઆર વનમાં બેસાડીને લઈ ગયા હતા. બાદમાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આથી આ ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ તે છુપાવવા માંગતી હતી. આથી આ મામલે પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી અને ઘટના હત્યાની હોવાનું તેમાં ઉલ્લેખ કરાયો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જોડવામાં આવ્યો હતો અને તે રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે વૃદ્ધને ગંભીર ઇજાઓ થવાથી આંતરડા અને લીવરના ભાગે ઘા લાગવાથી મોત થયું છે  પરંતુ તંત્રની જેમ પોલીસ કમિશનર પણ આ મામલે તપાસ કરવા માટે ધગ્યા નહીં અને પરિવારને ન્યાય મળ્યો નહીં.

વૃદ્ધ ના પુત્ર આનંદ દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટ કસ્ટોડિયલ ડેથ નો ઉલ્લેખ કરી તમામ પુરાવા સાથે રજૂઆત કરાઈ હતી ત્યારે હાઇકોર્ટે પણ પોલીસને ફટકાર આપી હતી અને આ મામલે ગુનો દાખલ કરી યોગ્ય તપાસ કરવા સૂચના આપતા કુવાડવા રોડ પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગુનામાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે કે, પછી અંદરના હત્યારાઓને છુપાવવાના પ્રયાસો કરે છે.?

હત્યાના બનાવો છુપાવવામાં માહિર કુવાડવાના વિવાદિત PI સહિત 6 ની આંતરિક બદલી

તાજેતરમાં નવાગામ ખાતે ગોડાઉનમાં બનેલી હત્યાની ઘટનાને સામાન્ય મોતની ઘટનામાં ખપાવી ગુનાહિત બેદરકારી આચરનાર અને મોરબી રોડ પર 70 વર્ષના વૃદ્ધના રહસ્ય મોત મામલે હાઇકોર્ટની ફટકાર બાદ નમતું જોખનાર કુવાડવા પોલીસ મથકના પીઆઇ સહિત છ પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કુવાડવા પોલીસ મથકના વિવાદિત પીઆઇ વી આર રાઠોડને IUCAW વિભાગમાં શેકી દેવામાં આવ્યા છે જ્યારે તેની સામે IUCAW ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન રાઠોડની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.ગઢવીની પણ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. તેની સામે ટ્રાફિક શાખાના બે પીઆઇ એમ.જી વસાવાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને બી.પી રજિયાની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ બી.બી.જાડેજાને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે અને બોટાદ થી પ્રોફેશનલ પિરિયડમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર કે એ દેસાઈને એ ડિવિઝનના સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે અને આ ઉપરાંત તેને સામાજિક સલામતી સ્કવોડનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 3 hours ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?