- ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયાનો પરિજનોનો આરોપ
- ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો જવાબ
- સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે:સુપરિટેન્ડન્ટ
રાજ્યમાં ફરી એકવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. અગાઉ અમદાવાદ જિલ્લાની વિરમગામના માંડલની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 15થી વધુ દર્દીઓને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું હતું જે પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ દેખાવાનું બંધ થયાનો આક્ષેપ લાગી રહ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દેખાવાનું બંધ થયાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયાનો પરિજનોનો આરોપ લાગ્યો છે.
પરિવારજનનો આક્ષેપ
જેમાં પરિવારજનનો આરોપ છેકે, ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો જવાબ આપ્યો છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ડ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તેમજ ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઊડાવ જવાબ આપ્યો છે. દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરતા આ સમગ્ર મામલો ગરમાયો હોવાની વિગતો સામે આવી રહી છે.
તેમજ તપાસ મામલે સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, આંખની સર્જરીમાં ઘણી વખત કોમ્પ્લિકેશન થાય છે. આ મામલે જરૂર હશે તો તપાસ કમિટી બનાવવામાં આવશે. જો કે હાલમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી રહી છે.


