જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બાબા અમરનાથ યાત્રાની પવિત્ર ગુફામાં પ્રથમ પૂજા કરી છે, જેનાથી અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. ઉપરાજ્યપાલે બાબા બર્ફાનીના તમામ ભક્તોને આગ્રહ કર્યો કે તે મોટી સંખ્યામાં પવિત્ર યાત્રા માટે આવે અને જમ્મૂ કાશ્મીર અને દેશની પ્રગતિ માટે મહાદેવને પ્રાર્થના કરે. તેમને કહ્યું કે બાબા અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
ઉપરાજ્યપાલે કહ્યું કે અમરનાથ શ્રાઈન બોર્ડ અને તંત્રએ તીર્થ યાત્રીઓની સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીર પોલીસ, સેના, સીઆરપીએફ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સુરક્ષા વ્યવસ્થા પર બાજ નજર રાખી રહ્યા છે. તેમને જમ્મુ કાશ્મીરના લોકો, સિવિલ સોસાયટી ગ્રુપ અને તમામ સેવા દાતાઓના અમૂલ્ય યોગદાનની પણ સરાહના કરી છે. વધુમાં મનોજ સિંહાએ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જરૂરી સુવિધાઓ અને સેવાઓમાં આ વર્ષની તીર્થયાત્રાને તમામ ભક્તો માટે યાદગાર અને સંતોષજનક બનાવીશું.
9 ઓગસ્ટે બંધ થશે અમરનાથ યાત્રા
3 જુલાઈથી અમરનાથા યાત્રા શરૂ થશે, જે અનંતનાગ જિલ્લાના પહલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૂ થશે અને 9 ઓગસ્ટ 2025એ રક્ષાબંધન પર પૂર્ણ થશે. પ્રથમ પૂજાના અવસરે પવિત્ર ગુફા સ્થળમાં સેનાની 15 કોરના જીઓસી, લેફ્ટનન્ટ જનરલ પ્રશાંત શ્રી વાસ્તવ, પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત, બોર્ડના સભ્યો અને સીઈઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.