- 2025ના અંતે 65 આંગણવાડીઓને સ્માર્ટ બનશે
- 16 સ્માર્ટ આંગણવાડીઓ તૈયારઃ NGOએ ભેગા કરેલા CSR ફ્ંડનો ઉપયોગ
- 100 પૈકીની મોટા ભાગની આંગણવાડીઓ સ્લમ વિસ્તારમાં આવેલી છે
AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 100 જેટલી આંગણવાડીઓની કાયાપલટ કરીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેતુસર CSR ભંડોળનો ઉપયોગ કરીને તમામ આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવશે. યુવા અનસ્ટોપેબલ NGO દ્વારા આ સમગ્ર ખર્ચ વિવિધ કંપનીઓ પાસેથી CSR ફ્ંડ મેળવીને કરવામાં આવશે. આમ, આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે AMC પર કોઈ ખર્ચ બોજ પડશે નહીં. AMC દ્વારા અત્યાર સુધીમાં 16 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવી છે અને વધુ 19 કેન્દ્રોને સ્માર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. AMC દ્વારા 2025ના અંત સુધીમાં બાકીની 65 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવશે. આગામી દિવસોમાં વધુ 65 આંગણવાડીઓને રમકડા, પેઇન્ટીંગ, સ્માર્ટ ટીવી સહિત વિવિધ આયામોથી સજ્જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 16 જેટલી જગ્યાએ સ્માર્ટ આંગણવાડી તૈયાર થઇ ગઇ છે. જેમાં બોડકદેવ ગ્રામ પંચાયતના મકાનમાં ચાલતી આંગણવાડી, કોચરબ કૃષિ ભવન ખાતે ચાલતી આંગણવાડી, વાસણા પોલીસ ચોકી સામે ચાલતી આંગણવાડી, P&T કોલોની પાસે ચાલતી આંગણવાડી, હનુમાન ટેકરા સાબરમતી ખાતે ચાલતી આંગણવાડી, હાજીપુરા ગાર્ડન, ઘોડાગાડીનું ડહેલુ ખાતે ચાલતી આંગણવાડી, બારડોલપુરા- શાહીબાગમાં નરમાવાળાની ચાલી ખાતેની આંગણવાડી, બોડકદેવ લેડી તળાવની સામે, સોલા ગામ ઠીકરીઓ વાસ ખાતે ચાલતી આંગણવાડી, સોલા હરિજનવાસ ખાતે ચાલતી આંગણવાડી, ઘાટલોડીયા કુમુદનગર ખાતેની આંગણવાડી, ઘાટલોડીયા રામકૃષ્ણનગર ખાતેની આગણવાડી, અને ગોપાલનગર ખાતેની આંગણવાડીનો સમાવેશ થાય છે.
RO, સ્માર્ટ TV વીથ કન્ટેન્ટ 43 અને રમકડાંથી સજ્જ સ્માર્ટ આંગણવાડીઓ
NGO દ્વારા તમામ 100 આંગણવાડીમાં બેઝીક સેનીટેશનનું રીનોવેશન, R O ફિલ્ટર સાથે પાણીની વ્યવસ્થા, એજ્યુકેશનલ પેઇન્ટીંગ, પ્લે ગ્રાઉન્ડ એરીયા, ધાબા પર જરૂરી વોટર પ્રુફ્ગિં, પીવીસી – વુડન ફ્લોરીંગ, ઇલેક્ટ્રીક ફીટીંગ, સ્માર્ટ TV વીથ કન્ટેઈન 43 અને રમકડાંથી સ્માર્ટ આંગણવાડી સજ્જ કરવામાં આવશે. આ 100 પૈકીની મોટા ભાગની આંગણવાડીઓ સ્લમ વિસ્તારમાં આવેલી છે. આ કેન્દ્રોમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવાવામાં આવશે.


