- સુરતમાં ખાતુ ખોલવાનું કામ પતી ગયુ : અમિત શાહ
- તમારો મત નરેન્દ્રમોદીને PM બનાવવા માટેનો છે : અમિત શાહ
- રમેશ ધડૂક સાચા જનસેવક છે : અમિત શાહ
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી ગયા છે. તેઓ દિવસ દરમિયાન 3 પ્રચાર સભા કરશે. સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ-શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.આજે તેઓએ પહેલી જનસભા રાજકોટના જામકંડોરણા ખાતે કરી હતી,જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
અમિત શાહે કોને યાદ કર્યા
જામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડીયાને શ્રધ્ધાજલિ આપી યાદ કર્યા હતા.બીજી તરફ રમેશ ધડૂક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ કામ કર્યુ છે.સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને પ્રણામ કર્યા હતા.તો અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે,સૌરાષ્ટ્ર એ મહાત્માગાંધીની ભૂમિ છે.નરેન્દ્ર મોદીએ ગામે ગામ વિજળી પહોચાડી છે.રાજકોટમાં મેડીકલ કોલેજો વધી અને એઈમ્સની હોસ્પિટલ પણ આવી ગઈ છે.વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મે 239 લોકસભામાં પ્રચાર કર્યો છે અને આજે ગુજરતામાં આવ્યો છુ.કોરોના કાળમાં મનસુખ માંડવિયાએ જરા પણ ગભરાવ્યા વિના કામ કર્યું છે.સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી અને અપહરણ થતા હતા તે બંધ થઈ ગયા.પોરબંદરવાળા મોદી સરકારની આ ગેરંટી લઇને હું આવ્યો છુ,કાશ્મીરમાં પહેલાં બોમ્બ ધડાકા થતા, ઘુસણખોરી થતી તે બધુ અટકી ગયુ છે.કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી ભાજપ સરકારે,તો જામકંડોરણાવાળા કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે,કમળનું બટન દબાવો તો યાદ રાખજો કે મત મોદીને મળે છે,બાકી બચેલી 25 બેઠકો પર હેટ્રિક કરવાની છે,વધુમા તેમણે કહ્યું કે ભાજપને તમામ 26 બેઠકો મળવાની છે,જ્યાં જઇએ ત્યાં મોદી – મોદીના નારા લાગે છે,
વિપક્ષ પર કર્યા પ્રહાર
અમિત શાહે જામકંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ બંન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા છે.કોગ્રેસ મહાત્માં ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભુલી ગઈ છે.કોગ્રેસે 10 વર્ષમાં ખાડા જ ખોદયા છે.રાહુલબાબા કહેતા હતા કે 370 કલમ હટશે તો લોહી વહેશે,ભાજપ કહે છે કોઈની તાકાત નથી કે પથ્થર ફેંકાય.કોંગ્રેસે અયોધ્યાને મુદ્દાને વર્ષો સુધી લટકાવ્યો છે એ લોકો પણ જાણે છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતી કરે છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી.
પંચમહાલમાં અમિત શાહ સભા ગજવશે
અમિત શાહ જામકંડોરણામાં જાહેર સભા સંબોધીન બાદ આજે ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે.
વડોદરામાં યોજાશે રોડ-શો
વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે,રોડ શોને ધ્યાને રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું છે.રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે.
તૈયારીઓને અપાયો આખરી ઓપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોષીના સમર્થનમાં શનિવારે રોડ શો યોજશે. તે પૂર્વે શહેર ભાજપ સંગઠન અને વડોદરા પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પાલિકાએ 3 કિમીના રૂટ પર ખાડાઓનું પેચવર્ક કરી, ડિવાઈડરોનાં રંગરોગાન સાથેની કામગીરી કરી હતી. જ્યારે સંગઠનની ટીમે જુદા જુદા સ્થળે સ્ટેજ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.


