- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી
- ભારતની ટીમ સામે 14 ઓક્ટોબરે યોજાશે મેચ
14મી ઓક્ટોબરે ક્રિકેટ જગતની સૌથી મોટી રાઈવલરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ભારત પાકિસ્તાનની વિશ્વકપ મેચ આ મેદાન પર રમાવાની છે. આ મેચમાં ગાયક અરિજિતસિંહ મેચ દરમિયાન પરફોર્મન્સ આપશે. ઉપરાંત ઓપનિંગ સેરેમનીની કસર પૂરી કરવા મેચ દરમિયાન આતશબાજી થશે અને લેઝર શો પણ યોજાઈ શકે
વનડે વિશ્વકપનો આરંભ થઈ ચૂક્યો છે. તમામ ટીમો ઓછામાં ઓછી એક મેચ રમી ચૂકી છે. જો કે આ વિશ્વકપમાં આશ્ચર્ય ઉપજાવનારી બાબત એ હતી કે તેનો કોઈ ઓપનિંગ સમારોહ યોજાયો નથી. બીસીસીઆઈ અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન ઓપનિંગ સેરેમનીની કસર પૂરી કરશે. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત આ મેચ જોવા માટે અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ઉપરાંત દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ભારત-પાક. વચ્ચેની મેચ જોશે. આ ઉપરાંત લોકપ્રિય ગાયક અરિજિતસિંહ મેચ દરમિયાન પરફોર્મન્સ આપશે. આ મેચ દરમિયાન આતશબાજી અને લેઝર શો પણ યોજાઈ શકે.
ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન થઈ શકે
અગાઉ એવા અહેવાલો આવ્યા હતાં કે આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં રણવીરસિંહ, તમન્ના ભાટિયા, આસા ભાંેસલે, અરિજિતસિંહ અને શ્રોયા ઘોષાલ પર્ફોમ કરશે. જો કે એવું કશું ના થયું. પાછળથી સમાચાર આવ્યા હતાં કે ઓપનિંગ સેરેમની ભલે ના યોજાઈ હોય પરંતુ ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વનડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
પીસીબી પ્રમુખ અશરફ પણ અમદાવાદ આવશે
મહત્વનું છે કે આ મેચમાં પીસીબી પ્રમુખ અશરફ પણ ભારત આવવાના છે અને તેઓ આ મેચમાં હાજર રહેશે. પીસીબીના પ્રમુખ ઝકા અશરફ કટ્ટર હરીફ ભારત સામેની શનિવારે યોજાનારી પાકિસ્તાનની મેચમાં હાજર રહેશે. બહુપ્રતિષ્ઠિત ગણાતા આ મુકાબલાના સાક્ષી બનવા માટે પીસીબી પ્રમુખ ગુરુવારે જ અમદાવાદ પહોંચી જશે.