- બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
- અકસ્માતમાં એકનું મોત અને એક ચાલક ઈજાગ્રસ્ત
- અકસ્માતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદમાં વધુ એક અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં હવે વસતી ગીચતા વધી રહી છે તેમ તેમ લોકમાં અવારનવાર એક્સિડેન્ટની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં રસ્તાઓ પહોળા તો થયાં છે પણ વાહન ચાલકો હવે આ મોટા રસ્તાઓ જોઈને બેફામ વાહન હંકારતાં જોવા મળી રહ્યાં છે અને છાશવારે એક્સિડેન્ટની ઘટનાઓ બનતી જ રહે છે.
બે બાઈકો વચ્ચે ટક્કર, એકનું મોત
ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદમાં એક યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. અમદાવાદના કાલુપુર બ્રિજ પર અકસ્માત થતાં એક બાઈક સવારનું મોત નીપજ્યું છે. ભીડભાડ વાળા વિસ્તાર કાલુપુર બ્રિજ પર બે બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઈક ચાલકો ધડાકાભેર અથડાતાં અફરાતફરી મચી ગઈ હતી.
કાલુપુર બ્રિજ અકસ્માત
કાલુપુર બ્રીજ પર અકસ્માતમાં બે બાઈક ચાલકો વચ્ચે ટક્કર થતાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે એક બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટના અંગેની જાણ આસપાસના રાહદારીઓએ એમ્બ્યુલન્સને કરતાં ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
રોડ અકસ્માતને લઈને જાગૃતિ જરુરી
રોડ અકસ્માતને લઈને સડક સુરક્ષા સેફ્ટી અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી છે પરંતુ તેની કોઈ ખાસ અસર લોકોમાં જોવા મળી રહી નથી. સડક સુરક્ષા કમિટી તથા ટ્રાફિક પોલીસે આ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવા જરુરી છે. જેથી લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ અને વાહન હંકારવાના નીયમોનું પાલન કરે અને જેથી કરીને અકસ્માતોનું નિવારણ લાવી શકાય અને મહદ અંશે તેમાં ઘટાડો આવી શકે તેમ છે.


