By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    23 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    24 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મધદરિયે ફરકતો ભારતીય નૌકા દળનો વાવટો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

મધદરિયે ફરકતો ભારતીય નૌકા દળનો વાવટો

agragujaratnews
Last updated: 2023/12/16 at 8:15 PM
2 years ago
Share
મધદરિયે ફરકતો ભારતીય નૌકા દળનો વાવટો
SHARE

અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓ વારંવાર કોઈ જહાજને આંતરીને કબજો કરે છે ત્યારે ભારતીય નૌકા દળના જહાજો એ વિસ્તારમાં પણ હવે પહેરો દેવા લાગ્યા છે

આજનો જ બનાવ છે કે માલ્ટાનું એક જહાજ ચાંચિયાઓએ કબજે કર્યું તે પછી ભારતીય નેવીના વિમાનોએ તેના પર ઝળુંબવાનું શરૂ કર્યું હતું. અરબી સમુદ્રમાં ગલ્ફની નજીક ભારતના કેટલાક જહાજો પહેરો કરવા ફરતા રહે છે. એન્ટી પાઇરસી એટલે કે ચાંચિયાઓ વિરુદ્ધ કામગીરી માટે એડનની નજીકથી મેડે મેસેજ મળ્યો એટલે ભારતીય નૌકા દળના વિમાનો તરત ઉડ્યા હતા. એમવી રુએન નામનું જહાજ ચાંચિયાઓએ કબજે કર્યું તેનો મેડે મેસેજ એટલે કે મદદ માટેની પુકાર પહોંચી તે સાથે જ ભારતીય નૌકા દળ સક્રિય થયું હતું.
14 ડિસેમ્બરે UKMTO નામના પોર્ટલ પર આ જહાજનો મદદ માટેનો મેસેજ મળ્યો તે પછી ભારતીય નૌકા દળે નેવલ મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટને રવાના કર્યા હતા. આ જહાજ પર 18 ખલાસીઓ હતા અને છ જેટલા ચાંચિયા તેના પર ચડી ગયા હતા.
થોડી જ વારમાં જહાજ કઈ જગ્યાએ છે તે શોધી કઢાયું હતું અને તેની ઉપર ભારતના વિમાનો ઝળુંબતા રહ્યા હતા. ચાંચિયાઓ જહાજને સોમલિયાના દરિયાકિનાર તરફ લઈ જઈ રહ્યા છે. હકીકતમાં એમવી રુએન જહાજ સોમાલિયા તરફ જ થઈ રહ્યું હતું, પણ ગુરુવારે સોમાલી ચાંચિયાઓ તેના પર ચડી ગયા હતા. ક્રૂ તરફથી મેડે મેસેજ મોકલી દેવાયો, પણ તે પછી જહાજ સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.
ઈઝરાયલ હમાસ યુદ્ધ પછી એક જહાજનું અપહરણ થયેલું ત્યારે તે હૂતી બળવાખોરોએ કર્યું હતું તેવું જાણવા મળ્યું હતું. હમાસના સમર્થનમાં ઈઝરાયલને દબાણ લાવવા માટે કેટલાક જૂથો સક્રિય થયા છે. તેનો ઉદ્દેશ રાજકીય પ્રકારનો છે, જ્યારે સોમાલિયાના ચાંચિયાઓ લૂંટફાટ કરવા માટે ગલ્ફમાંથી પસાર થતા જહાજોને કબજે કરી લે છે. સશસ્ત્ર ચાંચિયાઓ નાની પણ ઝડપી બોટમાં જહાજોની નજીક સરકી જાય અને કેટલાક લોકો જહાજ પર ચડી જાય. ગન બતાવીને ક્રૂને મજબૂર કરવામાં આવે છે કે જહાજને સોમાલિયાના કોઈ બંદર પર લઈ જવામાં આવે. ઘણી વાર મધદરિયે જ જહાજને રાખવામાં આવે છે અને ખંડણીની રકમ મળી જાય ત્યારે છોડી દેવાય છે.
વચ્ચે ભારત ઉપરાંત અન્ય દેશોએ પણ સોમાલિયાના ચાંચિયાઓ સામે ઓપરેશન શરૂ કર્યું હતું. સોમાલિયાથી એડન વચ્ચેના દરિયામાં બોટમાં ફરતા સોમાલી ચાંચિયાને ભગાડી મૂકવામાં આવતા હતા. 2019 પછી સોમાલી ચાંચિયા થોડા કાબૂમાં આવ્યા હોય તેવું પણ લાગતું હતું. પરંતુ ફરી તેમણે એક જહાજ કબજે કર્યું ત્યારે સૌથી પહેલી મદદે ભારતીય નૌકા દળ દોડ્યું તે પણ તેના વાવટા કેટલા ઊંચા ફરકે છે તેનો એક નમૂનો છે.
યુકે તથા અન્ય દેશોના મરીન વિભાગો દ્વારા જહાજોને ચેતવણી આપવામાં આવતી હોય છે કે સુએઝ કેનાલ પસાર કરીને અરબી સમુદ્રમાં પ્રવેશે અને ત્યાંથી હિન્દ મહાસાગર તરફ આગળ વધવાનું હોય છે ત્યારે સાવધાની રાખવી. સુએઝ પસાર કરીને યમન અને સોમાલિયાની વચ્ચેથી પસાર થવાનું થાય ત્યારે જોખમી તબક્કો હોય છે. સોમાલિયના બંદરથી આ દરિયામાં ઝડપથી પહોંચી શકાય છે. સુએઝ કેનાલમાં જતી વખતે પણ આ ભાગમાંથી પસાર થતી વખતે સોમાલિયા તરફથી આવતી ચાંચિયાની બોટ સામે કાળજી લેવી જરૂરી હોય છે.
ભારતીય નૌકા દળની કામગીરી અત્યારે એટલા માટે પણ અગત્યની છે કે આ દરિયાઇ માર્ગ હમણા વધારે જોખમી બન્યો છે. ઈઝરાયલ હમાસ યુદ્ધ પછી સોમાલી ચાંચિયા ઉપરાંત હૂતી બળવાખોરો વધારે સક્રિય થઈ રહ્યા છે. યમનના બંદરોથી હૂતી બળવાખોરો લાલ સમુદ્ર તરફ જતા દરિયાઇ માર્ગ પર ઝડપથી પહોંચી શકે છે. સોમાલી ચાંચિયા ગોળીબારી કે તોપમારો કરવાના બદલે જહાજ પર ચડીને તેનું અપહરણ કરવા માગતા હોય છે. જહાજના ડેક પર ગમે તેમ કરીને ચડી જવાય તો બંદૂકો દેખાડીને તેને કબજે કરી શકાય. તે પછી ક્રૂની સલામતી માટે ખંડણી વસૂલ કરવામાં આવતી હોય છે. હૂતી બળવાખોરો વધારે જોખમી એટલે થયા છે કે તે અપહરણ કરવાના બદલે જહાજો પર સીધા હુમલા પણ કરી શકે છે. જહાજ પર તોપમારો કરે કે નુકસાન પહોંચાડે તો જહાજના ડૂબી જવાનો પણ ખતરો નકારી શકાય નહીં.
તેના કારણે ઘણી મોટી ક્રૂઝ લાઇનો તથા શિપિંગ કંપનીઓએ આ વિસ્તારને વધારે જોખમી ગણીને સાવધાની રાખવાનું શરૂ કર્યું છે. આવા સંજોગોમાં ભારતીય નૌકા દળે કરેલી કામગીરી ધ્યાનાકર્ષક બની શકશે. એમવી રુએને સોમાલી ચાંચિયાઓ પાસેથી છોડાવી શકાશે કે કેમ તે જોવાનું રહે છે, કેમ કે હજી ઓપરેશન ચાલુ છે. જહાજને શોધી કઢાયું છે અને તેની ઉપર ભારતીય વિમાનોએ ચક્કર માર્યા છે, જેથી ચાંચિયાઓને ડરાવી શકાય. જોકે ઘણી વાર સોમાલી દરિયાઇ સરહદમાં ચાંચિયા પહોંચી જાય પછી અલગ રીતે કામગીરી કરવાની થાય છે. સોમાલિયા પર દબાણ કરીને કામગીરી કરવી પડે છે, પણ તે એટલી અસરકારક સાબિત નથી થતી તેવું જોવા મળ્યું છે. આ સંજોગોમાં ભારતીય નૌકા દળ કોઈક રીતે જહાજને જો બચાવી શકશે તો તે એક અગત્યની ઘટના હશે. ચાંચિયાઓને મધદરિયે જ મહાત કરી દેવાય તો ખરા અર્થમાં ભારતીય નૌકા દળનો વાવટો મહાસાગરમાં બહુ ઊંચે ફરકતો દેખાશે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
હેલ્થ

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

By 21 hours ago
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Health Tips : ખાલી પેટે કારેલાના રસનું સેવન આ ગંભીર સમસ્યાને રાખશે દૂર, જાણો શું કહે છે આર્યુવેદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?