- કેન્દ્ર સરકારની સેતુબંધ યોજના હેઠળની યોજનામાં સૈદ્ધાંતિક મંજૂરી
- રેલ્વે ટ્રેક ઉપર કોઈપણ રેલ્વે પસાર થશે તો વાહનચાલકો સહિત મુસાફરોને ઉભા રહેવું
- ઓવરબ્રીજ માટે સર્વેની કામગીરી કરવામાં આવશે
કપડવંજ તા.26 કપડવંજ ડાકોર રોડ ઉપર આવેલ સી.એન.વિદ્યાલય પાસેના રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ આગામી સમયમાં બનનાર છે.જેથી નડીઆદ-કપડવંજ-મોડાસા રેલ્વે ટ્રેક ઉપર કોઈપણ રેલ્વે પસાર થશે તો વાહનચાલકો સહિત મુસાફરોને ઉભા રહેવું નહી પડે અને પરિવહનમાં સુગમતા પડશે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના એસ.ઓ.હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સી.આઈ.આર.એસ. યોજનામાંથી ફાળવવામાં આવતી ગ્રાંટમાંથી 70 કરોડના ખર્ચે આકાર પામનાર રેલ્વે ફાટક સેતુ બંધ યોજના હેઠળ કપડવંજ-ડાકોર રોડ ઉપર આવેલ સી.એન.વિદ્યાલય પાસેનો ઓવરબ્રીજ બનવાનો છે તેની સૈધ્ધાંતિક મંજુરી આવી ગઈ છે.ઓવરબ્રીજ માટે સર્વેની કામગીરી કરવામાં આવશે તથા તેનું અંદાજપત્ર બનાવવમાં આવશે ત્યારબાદ ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થયેથી કામ શરૂ કરવામાં આવનાર છે.
હાલ વહીવટી મંજુરી અંગેની કામગીરી પ્રોસેસમાં છે. રેલ્વે ઓવરબ્રીજ આકાર પામશે એટલે રેલ્વે ફાટક ઉપરથી પરિવહન કરતા વાહનચાલોકને જે પહેલા ઘણા લાંબા સમય સુધી ઉભુ રહેવું પડતું હતું તેનાથી છુટકારો થશે.કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં અનેક રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની કામગારી હાથ ધરી છે તેના ભાગરૂપે કપડવંજમાં ઓવરબ્રીજ બનશે.


