ગત સપ્તાહે અરબી સમુદ્ર મા વિદેશી ફ્લેગ ધરાવતા પણ ભારતીય ખલાશીઓ ચલાવતા ક્રૂડ ઓઇલ તેલ વાહક જાહજ પર ડ્રોન દ્વારા હુમલા બાદ હવે માળવાહક જાહજ નું સોમાલિયા પાસે અપહરણ થવાની ઘટના આવનારા દિવસો માટે ની અરબી સમુદ્ર મા ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા દેખાડે છે.
હજુ હમણાં હમણાં બહાર આવેલ વિગત મુજબ અરબી સમુદ્ર મા લાઈબેરીયન દેશ નો ફ્લેગ ધરાવતી અને તેમાં ૧૫ ભારતીય ખલાશીઓ સાથે બ્રાઝીલ ના પોર્ટ દો અકુ થી બહેરીન ના ખલીફા બિન સલમાન પોર્ટ પર જવા નીકળેલ જાહજ કે જે આગામી ૧૧ તારીખ ના પહોંચવાનું હતું તેનું અપહરણ કરવામાં આવ્યા નું મરીન ટ્રાફીક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
હકીકત મા આ જાહજ સાથે મરીન વેસલ્સ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા થયેલ ટ્રેકિંગ રિપોર્ટ મુજબ ગત તારીખ ૩૦.૧૨.૨૩ પછી તેનો સંપર્ક તૂટી ગયો હોય તેની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન આ હકીકતો આજ જાહેર કરવામાં આવતા સન્નાટો છવવા સાથે ભારતીય સુરક્ષા એજેનસીઝ ને સક્રિય બનવવા મા આવેલ છે.
અરબી સમુદ્ર મા તૈનાત્ ભારતીય યુદ્ધ જહાજ આઈ.એન એસ ચેન્નાઇ રવાના
આ ભારતીય ખલાશીઓ ના જાહજ નું અપહરણ સોમાલિયા પાસે થી થયું હોય અને તે જિોગ્રાફીકલ પ્રમાણે અરબ સાગર માંથી આફ્રિકન દેશ મા આવવા જવા માટે ના રૂટ નો વિસ્તાર હોય નવા વર્ષ થી રેડ સી મા ઉત્પન્ન થયેલ તણાવ અને ઇઝરાઈલ-હમાસ્ યુદ્ધ ના પગલે અરબી સમુદ્ર મા ફ્રન્ટ લાઈન પોઝિશન સંભાલી રહેલ પાંચ પૈકી ના એક યુદ્ધ જહાજ આઈ.એન.એસ.ચેન્નાઇ ને હાલ આ અપહૃત થયેલ જાહજ ને શોધવા માટે મોકલવામાં આવ્યા નું બહાર આવેલ છે.
યમન્ ના હુતિ આંતકવાદી હુમલા બાદ આફ્રિકા ના સોમાલિયા પાસે ભારતીય ખલાશીઓ સાથે ના લાઈબ્રેરીયન ફ્લેગ ધરાવતા માલ વાહક જાહજ નું અપહરણ. શુ હવે રેડ સી બાદ અરબ સમુદ્ર આંતરારાષ્ટ્રીય આંટકાવાદી માટે નું એપી સેન્ટર બન્યું છે? તેવો પ્રશ્ન આ ઘટના બાદ ઉભો થવા પામેલ છે.
ત્યારે આ ઘટના સામાન્ય્ અપહરણ ની નહી પણ આંતરારાષ્ટ્રીય આંતકવાદીઓ ની મોડ ઓપરેંડી નો એક ભાગ હોય તેના ગંભીર પડઘા આવનારા દિવસો મા હવે અરબી સમુદ્ર મા જોવા મળે તેવી શક્યતા પણ નાકારી શકાતી નથી.


