- અરવલ્લીમાં જગન્નાથપૂરી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો
- મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં 3 લોકોના મોત,25 લોકો ઘાયલ
અરવલ્લીમાં જગન્નાથપૂરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩ લોકોના સ્થળ પર જ મોત થયા છે , 25 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડ જઈ અથડાઈ પડી હતી. ડભોઈ-મોડાસા એસટી બસ અથડાઈ હતી અને દુર્ઘટના સર્જાઇ હતી.
એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડ્યા
મોડાસાના સાકરિયા પાસે બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ અચાનક જ રોંગ સાઇડ આવી જતા ધડાકા ભેર ખાનગી બસ સાથે અથડાઇ હતી. બસમાં સવાર લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો

એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડ્યા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ આવ્યા સામે. જેમા સ્પષ્ટ જોઇ શકાય છે કે અકસ્માત કેવી રીતે સર્જાયો હતો.


