- કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો આજે નિર્ણય
- જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે કડક અભિયાન
- છેલ્લા બે દિવસમાં અફવા ફેલાવવા બદલ 5 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા, જમ્મુ અને કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયાના કથિત દુરુપયોગ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસમાં 5 લોકો સામે ‘નફરતજનક સામગ્રી’ અપલોડ કરવા અથવા અફવા ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પોલીસે એક કથિત અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરી છે. મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબલ જિલ્લામાં બે-બે લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘પોલીસે બારામુલ્લા જિલ્લાના વાની મોહલ્લા બલિહારન પટ્ટનના રહેવાસી અલી મોહમ્મદ વાનીના પુત્ર બિલાલ અહેમદ વાની નામના વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.’
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ,2019માં સંસદમાં બિલ પાસ કર્યુ હતુ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભડકાઉ અને દેશદ્રોહી નિવેદનો ધરાવતા નફરતથી ભરેલા વીડિયો અપલોડ કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે, બડગામ પોલીસે અફવા ફેલાવવા બદલ બે લોકો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘સફાપોરાના રહેવાસી વસીમ મુશ્તાક મલિક અને ગંદરબલના નુન્નરના રહેવાસી આદિલ અહેમદ રાથેર સોશિયલ મીડિયા પર નફરતની સામગ્રી ફેલાવવામાં સામેલ હોવાનું જણાયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના તાજેતરમાં જારી કરાયેલા આદેશ હેઠળ બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રના નિર્ણય સામે સુપ્રીમમાં 23થી વધુ અરજીઓ
તેમજ પોલીસે લોકોને સોશિયલ મીડિયાના દુરુપયોગથી સાવચેત રહેવા અપીલ કરી છે. પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘વાતાવરણને બગાડવાનો અને જાહેર વ્યવસ્થા માટે સમસ્યા ઊભી કરવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી જોવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ છેલ્લા બે સપ્તાહમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
સુપ્રીમકોર્ટના ચુકાદા પહેલા કાશ્મીર પોલીસ સતર્ક
આજે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. ગુરુવારે, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) બારામુલ્લા અમોદ અશોક નાગપુરેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અથવા જૂથો પર કોઈપણ આતંકવાદી સંગઠન, આતંકવાદ અથવા સાંપ્રદાયિક વિસંગતતાને પ્રોત્સાહન આપતી કોઈપણ પોસ્ટ શેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


