- હિમવર્ષાથી પ્રવાસીઓએ સ્નોબોલ લડાઈનો આનંદ માણ્યો
- ભારે હિમવર્ષા થતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો
- સમગ્ર જમ્મુ-કશ્મીર બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું છે
જમ્મુ-કશ્મીરમાં આવેલું શ્રીનગર વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ છે, અહીં સોમવારે વહેલી સવારે બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલું શહેર પૃથ્વી પર સ્વર્ગ સમાન લાગી રહ્યું છે. આ વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ બરફથી ઢંકાયેલી શેરીઓમાં ફરતાં પ્રવાસીઓ લાલ ચોકમાં નજરે પડ્યાં હતાં જેના ડ્રોન દ્વારા લેવાયેલ દ્રશ્યોમાં શહેરની સુંદરતા દેખાતી હતી.
હિમવર્ષા થતાં પ્રવાસીઓ સ્નોબોલની લડાઈનો આનંદ માણ્યો
લાંબા સમય આ પ્રદેશ સુકો રહ્યાં બાદ બરફે પર આધાર રાખતાં લોકોમાં ખુશીની લહેર છવાઈ છે આશા બંધાઈ છે. શ્રીનગરમાં હિમવર્ષાથી રહેવાસીઓને રાહત મળી છે. બરફ માત્ર જોવા માટેનું એક સુંદર દ્રશ્ય નથી પણ પાણીનો નિર્ણાયક સ્ત્રોત પણ છે. આ દરમિયાન રાજૌરીના વિસ્તારોમાં હિમવર્ષા થતાં પ્રવાસીઓ સ્નોબોલની લડાઈનો આનંદ માણતા જોવા મળ્યાં છે.
હિમવર્ષાથી ખેડૂતોને ફાયદો થશે
આ પ્રદેશમાં તાજી હિમવર્ષા બાદ રાજૌરી જિલ્લાના કેટલાક ભાગો પણ બરફની સફેદ ચાદર નીચે ઢંકાઈ ગયા છે. એક પ્રવાસીએ કહ્યું કે, આ જગ્યા ખુબ જ જ સુંદર છે, તેના વિશે ઘણું સાંભળ્યા પછી કાશ્મીરની બરફ વર્ષાનો સાક્ષી બન્યો છું. હું આજે આ નજારો જોવા માટે બહાર નીકળ્યો છું. ભારે હિમવર્ષા સાથે મને આશા છે કે તે વધુ ઠંડી નહીં પડે. શરૂઆતમાં હું નિરાશ થયો હતો કે, કદાચ બરફ નહીં હોય, પરંતુ ગઈ કાલના દિવસથી આ અદ્ભુત ક્ષણ રહી છે. મને આશા છે કે આવી હિમવર્ષા ચાલુ રહેશે, જેથી ખેડૂતોને ફાયદો થશે કે, જેઓ બાગાયત અને પાણીની સમસ્યાઓથી ચિંતિત હતા, તેઓ વિચારે છે કે તેમનો પાક સારો નહીં આવે. હિમવર્ષા, આશા છે કે તેમનો પાક ખીલશે.
અગાઉ ભારે હિમવર્ષાને કારણે ફ્લાઈટ્સ રદ કરાઈ હતી
આ પહેલા રવિવારે ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે હાઇવેની સાથે રામબન જિલ્લામાં બનિહાલ અને રામસૂ વચ્ચે હિમવર્ષા છતાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે ખુલ્લો હતો. ત્રણ દિવસ પહેલા ખીણના ઉંચા વિસ્તારો અને ભાગોમાં હિમવર્ષા થઈ હતી પરંતુ આજે સમગ્ર કાશ્મીર બરફની જાડી સફેદ ચાદરમાં લપેટાયેલું છે. હજુ સુધી, કોઈ મોટા પાવર બ્રેકડાઉનના કોઈ અહેવાલ નથી.


