૫,૦૦૦ની ક્ષમતા સામે ૨૦,૦૦૦ લોકો ઉમટી પડતા ધક્કામુક્કીઃ ટોળાને કાબુમાં લેવા પોલીસ બોલાવવી પડી
રાજકોટના અટલ સરવોરને પાંચ દિવસ પહેલા શહેરની જનતા માટે ખૂલું મૂકવામાં આવ્યું છે. પરંતુ મહાનગરપાલિકાએ તેમાંથી કમાવવાની ગણતરી કરતાં પરિસ્થિતિ વણસી હતી. અટલ સરવોરમાં પ્રવેશ ફી ૨૫ રૂપિયા રાખી અને સાહેલાણીઓના ખિસ્સા ખંખેરવાની પેરવી આદરી છે. અટલસરોવરના લોકાપર્ણના પહેલા રવિવારે જ હજારોની જનમેદની ઉમટી પડી હતી અને ટીકીટ તેમજ પ્રવેશ માટે અંધાધૂંધી થઈ હતી. ભારે ભીડ ઉમટી પડતાં કેટલાક લોકો ટીકીટ વગર પણ પ્રવેશી ગયા હતા અને તંત્ર પણ વ્યવસ્થા કરવામાં વામણું સાબિત થયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. લોકોને કાબુમાં કરવા માટે પોલીસ બોલાવવી પડે હતી. ટીકીટ માટે લાંબી લાઇન લાગતાં ટીકીટ બારી પણ બંધ કરવી પડી હતી. ૧૦ ટીકીટ બારી હોવા છતાં પણ બહાર લાંબી લાઇન લાગી હતી. પાંચ હજારની ક્ષમતા સામે ત્રણ કલાકમાં જ ૨૦ હજારથી વધુ લોકો ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઇ હતી.
અટલ સરવોરમાં માત્ર વિવિધ રાઇડ્સની ફી વસુલવાને બદલે પ્રવેશ માટેની ફી વસુલતા લોકોને કલાકો સુધી ગેટ પાસે લાંબી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું લાંબી લાઇનમાં ઉભા રહી અકળાય ગયેલા કેટલાક લોકોએ ટીકીટ લેવાનું પણ ટાળ્યું હતું અને અંદર જતાં રહ્યા હતા. હજારોની મેદની એકત્રિત થતાં ધક્કામુક્કી થતાં બાળકો સાથે આવેલા પરિવર હેરાન પરેશાન થતાં તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
અટલસરોવર ખૂલું મુકાયા બાદ પ્રથમ રવિવાર હોવાથી લોકોમાં ભારે રોમાંચ હતો પરંતુ આ તમાંમ રોમાંચ પળ વારમાં ઓસરી ગયો હતો. મહાપાલીકયા દ્વારા કામાંવવાની દાનત રાખતા તેનો ભોગ લોકોએ બનવું પડ્યું હતું. અન્ય સ્થળોએ પ્રવેશ ફી નહિ હોવાથી લોકોને આ પ્રકારની હાલાકી પડતી નહીં હોવાનો સૂર પણ ઉઠ્યો હતો.
અટલ સરોવર માં ફી વસૂલવામાં બાબતે સતાધીશોનું ધ્યાન દોરવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવ્યા છે જેના કારણે પ્રવેશ ફી વસુલમાં આવી રહી છે અને લોકો પર બોજ નાખવામાં આવ્યો છે. રૂ.૫૧ લાખમાં કરોડોની ફી વસુલવાની જાણે કે મૂક પરવાનગી આપવામાં આવી છે. મહાપાલિકને ફી ની માત્ર નહિ જેવી આવક થતી હોય જેના કારણે લોકોને અસહ્ય તકલીફ વેઠવી પડી રહી છે. રવિવારે અસુવિધાનો આભવ પણ જોવા મળ્યો હતો જેના પરથી ઉધડો લઈ તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવો સૂર સહેલાણીઑમાં ઉઠ્યો છે.


