By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રીકૃષ્ણના અવતાર : રામદેવપીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રીકૃષ્ણના અવતાર : રામદેવપીર

agragujaratnews
Last updated: 2024/08/29 at 7:30 AM
2 years ago
Share
શ્રીકૃષ્ણના અવતાર : રામદેવપીર
SHARE

  • માનવ માત્રની સેવા એ જ બાબા રામદેવપીરનું પરમ કર્તવ્ય હતું. તેમણે ડાલીબાઈને ધરમની બહેન બનાવી હતી

કૃષ્ણાવતાર બાબા રામદેવપીર સંવત 1461માં ભાદરવા સુદ બીજને શનિવારે પોકરણના રાજા અજમલજીના આંગણે પારણામાં સ્વયંભૂ પ્રગટ થયા હતા! બાબા રામદેવપીરે પોતાના જીવનકાળ દરમિયાન અનેક લૌકિક-અલૌકિક કાર્યો-અવતારકાર્ય પરિપૂર્ણ કરીને સંવત 1515માં ભાદરવા સુદ અગિયારસના શુભ દિવસે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોકરણ તાલુકાના રુણિચા-રણુજા પાસે રામદેવરામાં રામસરોવરની પાળે જીવંત સમાધિ લીધી હતી જ્યાં ખાસ કરીને ભાદરવા મહિનામાં ભવ્ય મેળો ભરાય છે. ત્યારે દુનિયાભરમાંથી રામદેવ ભક્તો “નાથ મારો નેજાધારી… પીર મારો પરચાધારી… ધણી મારો ધજાધારી”ના આધ્યાત્મિક ઉદબોધન સહિત રામદેવપીરના દિવ્યધામ તરફ ગતિ કરતા હોય છે. હાથમાં નેજો, હૃદયમાં સ્મરણ અને મુખ પર જય બાબેરી… સહિત નાચતા-કૂદતા ભજન લલકારતા પગપાળા યાત્રા કરે છે તે માહોલનું દર્શન કરવામાં આવે તો રણુજાનો ભાદરવા મહિનાનો મેળો ખરેખર “મારવાડનો મહાકુંભ” પૂરવાર થાય છે.

બાળક રામદેવ શા માટે ઘોડો લઈને આકાશે ઉડ્યા હતા?

તો એનો સરળ જવાબ એજ હોઈ શકે કે અંતર્યામી સાંસારિક રીતરિવાજ અનુસાર ભૈરવભૂમિનું નિરીક્ષણ કરવા ગયા હતા. એ બહાને દરજીને પણ ઉપયોગી બોધપાઠ આપવો જરૂરી હતો.

એક કથા અનુસાર લાખુ વણઝારો સાકરની ગુણી લઈને બાળક રામદેવને મળે છે ત્યારે રાજકુમાર હશે તો દાણ-કર માગશે અને કોઈ સામાન્ય બાળક હશે તો ખાવા માટે મફત માગશે એમ માનીને ગુણીમાં સાંભરનું લૂણ-મીઠું ભરેલું છે એવું હળહળતું જૂઠ બોલે છે અને રામદેવકૃપાથી સાકર લૂણ-મીઠું બને છે. તે પસ્તાવો કરે છે, અફસોસ વ્યક્ત કરે છે અને જીવનમાં ક્યારેય કર ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લે છે. માનવ માત્રની સેવા એ જ બાબા રામદેવપીરનું પરમ કર્તવ્ય હતું. તેમણે ડાલીબાઈને ધરમની બહેન બનાવી હતી અને દેશ દુનિયાને સમાનતા-માનવતાનો ઉમદા સંદેશ આપ્યો છે.

સંત જાંભેશ્વરનું સરોવર ખારું બનાવીને તેમનો અહમ્ ઓછો કરી દીધો હતો. તેનો અર્થ એ થયો કે જગતમાં સર્વશ્રેષ્ઠ છે તે કોઈ દિવસ સ્વયં સ્તુતિ કરતો નથી અને સ્વયં સ્તુતિ કરે એ સર્વશ્રેષ્ઠ હોઈ ન શકે! વિરમદેવ સાથે પાસાં ખેલતી વખતે બોહિતમલ જૈનનું જહાજ ઉગારીને ઉત્તમ મિત્રધર્મ નિભાવે છે. સાચા મિત્રની કપરી કસોટી ખરા સમયે જ થાય અને એમાં સફળ થાય એ જ સાચો ભાઈબંધ કહેવાય!

રાજકુમારની કીર્તિના વખાણ સાંભળીને સમંદર પારથી મક્કાના પાંચ પીર આકરી પરીક્ષા લેવા પધારે છે અને જંગલમાં કિશોર વયે રણુજાના રાજકુમારને મળે છે. રાજકુમાર જમવા આગ્રહ કરે છે, પણ પીર સાહેબ એમ કહીને ભોજનનો સવિનય ઈન્કાર કરે છે કે પોતે જમવાના વર્તન-વાસણ-કટોરા મક્કામાં ભૂલી ગયા છે. સિદ્ધપુરુષો આવી સામાન્ય ભૂલ ન કરે તે સ્વાભાવિક છે, પરંતુ કસોટી અર્થે બહાનું આગળ ધરે છે અને પોતે દાતણ રોપી પાંચ વિરાટ પીપળીઓ પળવારમાં પ્રગટ કરી દે છે ત્યારે અંતર્યામી અને હાજરાહજૂર પ્રભુ “રાજકુમાર” રામદેવ યોગશક્તિથી વારાફરતી વાસણ હાજર કરે છે અને પાંચેય પીર રામદેવજીને નતમસ્તક પીરોના પીર – હિંદવા પીર, રામસા પીરની ઉચ્ચતમ ઉપાધિ વડે નવાજીને મક્કા રવાના થાય છે. ત્યારથી રામદેવપીર હિંદુ-મુસ્લિમ એકતાના પ્રણેતા મનાય છે અને મોગલયુગ દરમિયાન રામદેવપીરના મંદિરને આક્રમણખોરોએ ક્ષતિ પહોંચાડી નથી એ સનાતન સત્ય છે.

સુદામા જેવા મિત્ર સ્વારથિયા સુથારને સર્પદંશની પીડામાંથી મુક્ત કરી જાગૃત કરે છે. લગ્ન વખતે સુજ્ઞ બહેન સુગણાને લેવા માટે રતના રાયકાને પિંગલગ્રામ-પુંગળગઢ મોકલે છે જ્યાં પિંડારા સરદાર દ્વારા રતના રાયકાને અસહ્ય યાતના અપાય છે. ઊંડા કૂવામાં ઊંધા લટકાવાય છે ત્યારે લગ્ન વખતે બહાર ન જવાય તેવો હિંદુ ધર્મનો રિવાજ હોવાથી નિયમ ભંગ ન થાય અને રતના રાયકાનો સમયસર બચાવ થાય, બહેનને વેળાસર લગ્નમાં લાવી શકાય તેવા આશયથી રામદેવપીર બીજું સ્વરૂપ ધારણ કરે છે અને પિંગલગ્રામ પહોંચી બનેવી-વેવાઈને વિધિસર સમજાવી બહેનને ઘરે આવવાનું આમંત્રણ આપી રણુજા આવી જાય છે.

દુષ્ટ-કપટી અને અભિમાનીને અવશ્ય સજા કરવી એ મધ્યયુગીન રણુજાના રાજાનું પરમ કર્તવ્ય હતું. રસ્તામાં આવતાં સુગણા અને રતના રાયકાને દિલ્હી બાદશાહ ફિરોજશાહ તઘલખના માણસો પરેશાન કરે છે ફરીથી બહેનની પોકાર સાંભળી વીર રામદેવ હાજર થાય છે અને ફિરોજશાહ તઘલખને હરાવે છે. તે માફી માંગે છે અને દિલ્હીમાં મંદિર બનાવે છે. ચાંદીનું છત્ર અર્પણ કરે છે.

લગ્ન વેળા જમાઈની જમણ વિધિ વખતે પીરાઈની ખરાઈ કરવા સાસુ મરેલી બિલાડીને રૂમાલ વડે ઢાંકીને આગળ ધરે છે જે અંતર્યામી જાણી જાય છે અને મૃત બિલાડી સજીવન થાય છે. અષ્ટાવક્રી રાણી નેતલ અંગ નિર્મલ બને છે. આવા અનેક પરચાં તેમણે પૂર્યાં છે.

બાબા રામદેવપીરે સૌપ્રથમ પરચો પિતા અજમલજીને જ કેમ આપ્યો?

કહેવાય છે કે સમુદ્રગમન વખતે દ્વારકાધીશ અજમલજીના પુત્ર રૂપે અવતરવાનું વચન આપે છે. તેથી અવતરણ વખતે જ પિતાનું ઋણ ઉતારવા આંગણામાં કુમકુમ પગલિયાં કરીને-ચાલીને પારણામાં નાના બાળક સ્વરૂપે પ્રગટ થયા હતા. જ્યારે માતા મેણાદે પ્રથમ પુત્ર વિરમદેવની બાજુમાં એજ પારણામાં અન્ય પુત્રને જુએ છે ત્યારે પળવાર માટે અકારણ ડરી જાય છે. આશ્ચર્યચકિત થઈ જાય છે, પણ પતિદેવ દ્વારકાધીશનું વચન યાદ કરાવે છે ત્યારે હૃદય અતિ પ્રફુલ્લિત થાય છે! માતાના ખોળામાં સૂતેલા બાળક રામદેવ ચૂલા પર મૂકેલ દૂધની ઉષ્ણ દેગ નીચે ઉતારીને માતાને દૈવી પુરુષ હોવાનું પ્રમાણ આપે છે. (જેવી રીતે બાળ કૃષ્ણે માતા જશોદાને માટી ખાવાના બહાના અંતર્ગત સમગ્ર સૃષ્ટિના ભવ્ય અને દિવ્ય દર્શન કરાવ્યા હતા.) બાળક રામદેવ નાના હોય છે ત્યારે ઘોડા પર બેસવાની હઠ પકડે છે ત્યારે રૂપા દરજી પાસે માતા મેણાદે મોંઘા અને મખમલના કપડાનો ઘોડો તૈયાર કરાવે છે, પણ લાલચુ દરજી મોંઘું કાપડ ઘર માટે રાખી લે છે અને જૂના પુરાણા ચીંથરા ભરીને ઘોડો તૈયાર કરે છે. કપડાંના ઘોડા પર બાળક રામદેવ સવાર થતાંની સાથે જ ઘોડો આકાશમાર્ગે ગમન કરે છે. સૌ કોઈ સગાંસ્નેહી ચિંતાતુર બની જાય છે. દરજીએ કોઈ કરતબ કે કાળો જાદુ કર્યો છે એમ માનીને તેને કેદ કરવામાં આવે છે. દરજી દયાના સૂરમાં માફ કરવા અરજી અને આજીજી કરે છે. એ વખતે બાળક રામદેવ ઘોડા સહિત ભૂમિ પર સફળ ઉતરાણ કરે છે અને દરજીને જીવનમાં ક્યારેય લાલચ અને ચોરી ન કરવા પ્રતિજ્ઞા લેવડાવે છે અને મુક્ત કરે છે. બાળ રામદેવ ગેડી-દડો રમતાં રમતાં શિવભક્ત બાલીનાથની ધૂણી રેન્જમાં પહોંચી જાય છે અને ગુરુનું ઋણ ચૂકવવા. પોકરણના ભૈરવ રાક્ષસથી ત્રસ્ત જનતાને ભયમુક્ત કરવા સાત વર્ષની બાળ વયે (કૃષ્ણે પણ સાત વર્ષે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર અધ્ધર કર્યો હતો અને ઈન્દ્રના કોપથી વૃંદાવન વાસીઓને બચાવ્યા હતા.) દ્રૌપદીના ચીરની જેમ ગોદડીની વૃદ્ધિ કરીને ભૈરવ વધ કરે છે!

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 6 days ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?