શુભાંશુ શુક્લાનું એક્સ -4 મિશ 30 જૂન સુધી અથવા જુલાઈના મધ્યભાગમાં લોન્ચ થઈ શકે છે. નાસાના ડાના વાગલ અનુસાર ISS પર ટ્રાફિક અને ટેકનિકલ સમસ્યાઓ લોન્ચ વિન્ડો પર અસર કરે છે. હવામાન અને LOX લીકેજના કારણે મોડુ થયું હતું. આ મિશન ભારતની સ્પેસ ટેકનોલોજી માટે બહુ મોટુ પગલુ છે.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનિં એક્સ-4 મિશન, જેનું લોન્ચિંગ 3 વખત ટળી ગયું છે. તે ક્યારે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થશે, તેનો ખુલાસો NASAએ કર્યો છે. નાસાએ લોન્ચ વિન્ડો વિશે માહિતી આપી છે. તેમનું મિશન ભારતની સ્પેસ ટેકનોલોજી માટે એક મોટુ પગલુ છે. આવો સમજાવીયે કે તેઓ ક્યારે સ્પેસ સ્ટેશન જશે?
લોન્ચ વિંડો
નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોગ્રામના મેનેજર ડાના વૈગલે જણાવ્યું હતું કે એક્સ -4 મિશન માટે લોન્ચ વિન્ડો 30 જૂન, 2025 સુધી ખુલ્લી રહેશે. આ સિવાય જુલાઈના મધ્યમાં એક અસ્થાયી ઓપરેશનલ પોઝ પછી વિકલ્પો ઉપલબ્ધ થશે.
મિશન ડીલે થવાના કારણો
1. ટેકનોલોજી – ટેકનોલોજીને કારણે આ મિશન પહેલા 8 થી 10 જૂન સુધી ટળ્યુ
2. હવામાનની સમસ્યા – 10 જૂન, 2025ના દિવસે વાતાવરણને કારણે ટળ્યુ
3.LOX લીકેજ – 11 જૂને ફાલ્કન 9 રોકેટમાં લિક્વિડ ઓક્સિજન લીકેજની સમસ્યા સામે આવી, જેનાથી લોન્ચિંગ અટકી ગયું.
4.ISS પર ટ્રાફિક – ISS પર અન્ય સ્પેસક્રાફ્ટ્સની હલચલ લોન્ચ શિડ્યૂલને અસર કરે છે.