ખગોળ વૈજ્ઞાનિકોની હલચલ, કેટલાક આગાહીઓના રિપોર્ટ્સ અને હવામાન વિભાગના એક્સપર્ટની ઘણી ચિંતાઓ બાબા વેંગાની ભવિષ્યવાણી સાથે મેચ થઈ રહી છે. વર્ષ 2025ને લઈને તેમણે કરેલી ભવિષ્યવાણીઓ પણ ચર્ચામાં છે. જ્યોતિષની દષ્ટિએ આવનારા દિવસો મહત્વના માનવામાં આવે છે. દુનિયા યુદ્ધોને ઘણા સમયથી જોઈ રહી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ ફિલિસ્તાન સંઘર્ષ હજી ચાલુ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ વિરામ થઈ ગયુ છે. એવામાં 7 જૂન 2025 પછી એવું શુ થવાનું છે જે લોકોને ડરાવી રહ્યું છે. વૈદિક પંચાગ અનુસાર 7 જૂનના રોજ મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને યુદ્ધ, હુમલાઓ, દુર્ઘટના અને આગની ઘટનાઓનું કારણ માનવામાં આવે છે.
7 જૂન 2025 તારીખ કેમ મહત્વની છે.
2025ની સૌથી રહસ્યમય તિથિયોમાંથી એક 7 જૂન છે. કારણકે આ દિવસે મંગળ ગોચર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર આવી શકશે.
ખગોળશાસ્ત્રીઓ અનુસાર આ દિવસે પૃથ્વી અને સુર્ય વચ્ચે ચુંબકીય ફેરફારો થવાની સંભાવના છે, જે હવામાન અને માનસિક સ્થિતિ બંને પર અસર કરે છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2025માં માનવજાતને એક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે જેમાં તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ 7 જૂન, 2025 પછી સાચી પડી શકે છે
દુનિયા બે ભાગમાં વહેંચાઈ જશે – બાબા વેંગાએ જણાવ્યું હતું કે 2025 પછી દુનિયા બે અલગ-અલગ માનસિકતાવાળી સભ્ય વ્યવસ્થામાં વહેંચાઈ જશે. એક ટેકનોલોજીમાં અને બીજી આધ્યાત્મિકતામાં. આજનો યુગ અત્યારથી જ AI અને સાધના આ બે વર્ગમાં વહેંચાયેલો છે.
દક્ષિણ ગોળાર્ધ વિસ્તારમાં મોટો વિસ્ફોટ થશે – વૈજ્ઞાનિકોને ગણા સમયથી આ વાતનો ડર સતાવી રહ્યો છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર ગોળાર્ધની નીચેની તરફથી નિકળતો ધુમાડો બધાને ડરાવી દેશે. આ ભવિષ્યવાણી દક્ષિણ ગોળાર્ધમાં કોઈ ભુગર્ભીય અથવા પરમાણુ હલચલ સાથે જોડાયેલી છે.
પાણીમાં ઝેર ભળી જશે, નવી બિમારીનું નિર્માણ થશે – 2025 માં સમુદ્રનું તાપમાન એક રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. એક્સપર્ટનું માનવું છે કે જૂન 2025 પછી પાણીડન્ય વાયરસ અને ફૂગ નવા મહામારીઓનું કારણ બની શકે છે.
વિજ્ઞાન પણ ઈશારો કરી રહ્યું છે.
NASAના કહ્યા પ્રમાણે સુર્યનું ભ્રમણ એક એવા લેવલ પર હશે જેના કારણે તોફાનની સંભાવના વધી શકે છે. જૂન સુધીમાં ચુબકીંય હલચલને કારણે સેટેલાઈટ અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળશે.
શાસ્ત્ર અને જ્યોતિષ શું કહે છે?
ગુરુનો ગોચર થઈ ચુક્યો છે. ગુરુના ભ્રમણમાં વર્ષ 2025માં મોટા પરિવર્તોન જોવા મળી શકે છે. તેનો પ્રભાવ 7 જૂનથી દેખાવાનો શરૂ થઈ જશે. ગુરુનો સબંધ ધર્મ, સત્ય, નિર્ણય અને ન્યાય સાથે છે. આ ગોચર કેટલાક વૈશ્વિક નિર્ણયો અને સભ્યતાઓના પુનર્જાગરણનું કારણ બની શકે છે.