આવનારી 20 જૂનથી ઇંગ્લેન્ડની ધરતી પર શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે કયા ખેલાડીઓને પસંદગી કરવી અને કોને પડતા મૂકવા એ પસંદગી બાબતે ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર ચોક્કસથી મુશ્કેલીમાં મુકાશે.
સિલેક્શનનો કપરો નિર્ણય
ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર આ બંને માટે આવનારા થોડા દિવસો સમસ્યાઓથી ભરેલા સાબિત થઈ શકે છે. ઇંગ્લેન્ડની સામે યોજાનારી પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે આ બંને ખેલાડીઓને સિલેક્શનના કપરા નિર્ણય માંથી પસાર થવું પડશે. કયા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો મોકો આપો અને કોને પડતા મૂકવા એ બાબતની પસંદગી કેપ્ટન અને કોચ માટે હમેશા મુશ્કેલ હોય છે. યોગ્ય ખેલાડીની પસંદગી ખુબજ જરૂરી હોય છે, જેથી કરીને સિરીઝ ઉપર કબજો કરી શકાય.
બંને મેચમાં નિરાશાજનક પ્રદર્શન
આગામી 20 જૂન ના રોજ ઇંગ્લેન્ડમાં શરૂ થનારી ટેસ્ટ સિરીઝની પહેલા ઇન્ડિયા એ ટીમ અને ઇંગ્લેન્ડ લાયન્સની વચ્ચે ફર્સ્ટ ક્લાસ મેચ ની સિરીઝ યોજાઇ છે. આ સિરીઝની એક મેચ પૂરી થઈ ચૂકી છે અને આજે બીજી મેચમાં ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. 40 રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ. જેમાં કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન 11 રન બનાવીને આઉટ થઈ ગયા. આની પહેલા અભિમન્યુ પહેલી મેચમાં માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. બંને મેચમાં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.
અભિમન્યુ મુકાશે પડતાં?
અભિમન્યુના બંને મેચમાં નિરાશાજનક પ્રદર્શનથી હવે પ્લેઇંગ ઇલેવનમાં તેમનું સિલેક્શન થવું ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરનાર અભિમન્યુને ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં મોકો આપવાની માંગ ઉઠી રહી હતી. આની પહેલા પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેઓ અસફળ રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં કોચ ગંભીર અને કેપ્ટન ગિલ હવે અભિમન્યુ ઈશ્વરને પ્લેઇંગ ઇલેવનમાંથી પડતાં મૂકી શકે છે.