વડગામ તાલુકાના બાવલચુડી ગામ ના સરપંચ વિનોદભાઈ નરસિંહભાઈ ચૌહાણ નો યુવાન દીકરો અજય ચૌહાણ ગત 27/11/25 ના રાત્રી ના સમયે બાઇક ઉપર છાપી તરફ્ થી ઘરે પરત જવા નીકળ્યો હતો જે દરમીયાન લોહી લુહાણ હાલત માં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના ને લઈ પરિવારે હત્યા થયા ના આક્ષેપ કરી છાપી પોલીસ માં દાદ માંગી હતી જોકે પોલીસે હત્યા નો ગુનો નોંધવા ઇન્કાર કર્યો હતો. યુવક ની તબિયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ મા ખસેવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવક નું મોત નીપજ્યું હતું. યુવક નું મોત નિપજતા પરિજનો એ પોલીસ સામે આક્ષેપો કરી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ન લેવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ મામલો તંગ બનતા પોલીસ હરકત માં આવી ગઈ હતી. જ્યારે માંડી સાંજે અમદાવાદ સિવિલ માં પેનલ ડોકટરો દ્રારા પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરિજનો દ્રારા પુત્ર નું મોત અકસ્માત નહિ પણ હત્યા થયા નો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સરપંચના યુવાન પુત્રના રહસ્યમય મોત બાદ ન્યાય ન મળે ત્યાં મૃતદેહ ઉઠાવવાનો ઇન્કાર કરતા પોલિસ હરકતમા આવી હતી. જ્યારે સમગ્ર ઘટના ની તપાસ માટે નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.પરમાર. ની અધ્યક્ષતા માં સીટ ની રચના કરવામાં આવી હતી.


