- વિરોધ પ્રદર્શનકારીઓએ પીએમ શેખ હસીના સાથે વાતચીતનો કર્યો ઈનકાર
- તાજેતરમાં બાંગ્લાદેશમાં અનામત આંદોલનમાં 150થી વધુ લોકોનાં મોત થયા હતા
- બાંગ્લાદેશની સુપ્રીમે અનામત ક્વોટામાં કાપ મૂકવાના ચુકાદો આપ્યો છતાં વિરોધ શરૂ થયો
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર અનામતને લઈ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. શનિવારે બાંગ્લાદેશમાં વિરોધને લીધે તણાવ વધ્યો છે. આંદોલન કરતા વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીના સાથે વાતચીત કરવાનું આમંત્રણ નકારી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શન થઈ રહ્યું છે આમાં 150થી વધુનાં મોત થઈ ચુક્યા હતા. શનિવારે વિરોધ પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકામાં મુખ્ય માર્ગો પર ચક્કાજામ કર્યો હતો.
બાંગ્લાદેશમાં શા માટે થઈ રહ્યા છે વિરોધ?
તમને જણાવી દઈએ કે તાજેતરમાં બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. વાસ્તવમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંતર્ગત વર્ષ-1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી છે.
દેખાવકારોએ ઢાકામાં મુખ્ય રસ્તાઓ બ્લોક કરી દીધા હતા
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઢાકામાં મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે. જેના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષા દળોને કડક તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઢાકામાં અનેક જગ્યાએ પ્રદર્શનકારીઓએ દેખાવો શરૂ કરી દીધા છે.


