- અનામત પ્રથાને લઈ હિંસક પ્રદર્શન બાદ કર્ફયૂ લદાયો
- સ્થિતિ કાબૂ કરવા સૈન્ય માર્ગ પર ઉતર્યું
- સમગ્ર બાંગ્લાદેશમાં ચાર દિવસથી મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું
પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની આગ દિવસેને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે. અનામત વિરોધી પ્રદર્શન હિંસક થતા સરકારે આખા દેશમાં કર્ફયૂ લાદી દેવાની નોબત આવી છે. જો કે, હવે તો સ્થિતિ એવી સ્ફોટક થઈ છે કે યુવાનો હાથમાં તલવાર લઈ નીકળી પડયા છે ત્યારે સેના અને પોલીસને શેખ હસીના સરકારે હવે દેખો ત્યાં ઠારના આદેશ આપી દેવા પડયા છે. અનામત વિરોધી પ્રદર્શનમાં આખા બાંગ્લાદેશમાં 100થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે, સેંકડો ઈજાગ્રસ્ત છે જ્યારે સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.
રહેણાક વિસ્તારોમાં સૈન્ય પહોંચ્યું
બાંગ્લાદેશમાં વધતી હિંસાને લઈ આખું વિશ્વ ચિંતિત છે. યુવાનોની નારાજગી શેખ હસીના સરકારને ભારે પડી શકે છે. એટલે સુધી કે જો બધું ઠીક નથી થયું તો બાંગ્લાદેશ ગૃહયુદ્ધમાં તબદિલ થઈ શકે છે. બાંગ્લાદેશમાં ઘણા વર્ષો પછી જોવા મળ્યું કે રહેણાક વિસ્તારોમાં સૈન્યની ગાડીઓ દોડી રહી છે. પોલીસે બેકાબૂ ભીડને કાબૂ કરવા કચડી પણ નાખી હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના હાથમાંથી આંદોલન નીકળી ગયું
બાંગ્લાદેશમાં અનામત પ્રથા વિરોધી પ્રદર્શન અને હિંસામાં 100થી વધુ લોકો મરી ચુક્યા છે. એનાથી વધુ સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. આમ છતાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. આકાશમાં હેલિકોપ્ટર ઉડી રહ્યા છે. એનાથી લોકો પર નજર રખાઈ રહી છે. હિંસા અંગેની તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓથી વધુ દેશ વિરોધી શક્તિઓનાં હાથમાં આવી ગયું છે.
ઈમરજન્સી જેવી સ્થિતિ, ટીવી-ચેનલ બંધ
બીજી તરફ આખા બાંગ્લાદેશમાં મોટાપાયે હિંસા અને આગચંપી જોવા મળી રહી છે ત્યારે સેંકડો કચેરીઓને આગને હવાલે કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં આ સમયે કટોકટી જેવી સ્થિતિ બની ચુકી છે. સરકાર મજબૂરીમાં ઢાકા અને બીજા શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરવું પડયું છે. ઘણી સમાચાર ચેનલોના પ્રસારણ પર રોક મૂકી દેવામાં આવી છે. ઘણી બાંગ્લાદેશી ન્યૂઝ પોર્ટલ-વેબસાઈટ આ સમયે ખુલી નથી રહ્યા. આ સ્થિતિ યુવાનોમાં વધુ આક્રોશ પેદા કરીને હિંસાને તરફ ધકેલી શકે છે.
ચીન, પાકિસ્તાનનો હિંસામાં હાથ
એવી પણ માહિતી સામે આવી રહી છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને વધુ ફેલાવવાનું કામ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ કરી રહ્યું છે. આ સંગઠનને લઈ લાંબા સમયથી પાકિસ્તાન અને ચીનનું મોટું સમર્થન મનાઈ રહ્યું છે. આનું વધુ શક્તિશાળી થવું ભારત દેશ માટે પણ સારી વાત નથી. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલી બિંસાની અસર ભારત પર પડી શકે છે. આ સમયે બાંગ્લાદેશથી જે પલાયન થઈ રહ્યા છે તેનું એપીસેન્ટર પણ ભારત જ બનશે. આવામાં સમગ્ર સ્થિતિને અવગણવી ન જોઈએ.


