- બાંગ્લાદેશનાપૂર્વ પીએમ શેખ હસીના દેશ છોડીને ભારત આવી ગયા છે
- શેખ હસીના ગાઝિયાબાદના હિંડન એરબેઝના સેફ હાઉસમાં રોકાશે
- શેખ હસીનાને આશ્રય આપવા માટે બ્રિટનની કોઈ ઈચ્છા ન હતી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ પીએમ શેખ હસીના દેશ છોડીને ભારત આવી ગયા છે. આ દરમિયાન સૂત્રો પાસેથી મળતી મુજબ ભારત સરકાર શેખ હસીનાને દિલ્હીથી બળજબરીથી બીજા દેશમાં નહીં મોકલે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી શેખ હસીના સુરક્ષિત સ્થળે જવાનો નિર્ણય નહીં લે ત્યાં સુધી તેમને બહાર મોકલવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન શેખ હસીના ભારતમાં જ રહેશે.
ગાઝિયાબાદના હિંડન એરબેઝના સેફ હાઉસમાં રોકાશે શેખ હસીના
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મોદી સરકાર બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના ભારત સાથે દાયકાઓથી સારા સંબંધોને ધ્યાનમાં લે છે. હાલમાં શેખ હસીના ગાઝિયાબાદના હિંડન એરબેઝના સેફ હાઉસમાં રોકાશે. આ સમય દરમિયાન, તેને અન્ય કોઈ જગ્યાએ લઈ જવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યાં સુધી બાંગ્લાદેશમાં નવી સરકાર સાથેના સંબંધોનો સવાલ છે, તો પહેલા તેને ઠીક થવા દો.
શેખ હસીના ‘થોડો સમય દિલ્હીમાં રહેશે’
એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે, જ્યારે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમના પુત્ર સાજીબ વાજેદ જોયને ત્રીજા દેશમાંથી આશ્રય મેળવવાની તેમની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘આ બધી અફવાઓ છે. તેણે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. હાલ તે થોડો વધુ સમય દિલ્હીમાં રહેશે. પરંતુ મારી બહેન સાયમા વાજેદ તેની સાથે છે. તેથી તે એકલી નથી. હસીનાની પુત્રી સાયમા વાજેદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રની પ્રાદેશિક નિર્દેશક છે, જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે.
આશ્રય આપવા માટે બ્રિટનની અનિચ્છા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને બ્રિટિશ સરકાર ભલે આશ્રય ન આપે, પરંતુ તેની બહેનને બ્રિટનમાં આશ્રય મળી રહ્યો છે. પરંતુ હસીના માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. હસીનાની નાની બહેન શેખ રેહાના બ્રિટનની નાગરિક છે. તેમની પુત્રી ટ્યૂલિપ બ્રિટિશ સાંસદ છે, તેથી તે તે દેશમાં આશ્રય માટે અરજી કરી શકે છે.


