- BCCIએ છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની કરી જાહેરાત
- વિરાટ કોહલી અંગત કારણોસર બાકીની મેચો માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો:BCCI
- મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સ બાદ રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની ટીમમાં એન્ટ્રી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હાલમાં પ્રથમ બે મેચ બાદ આ સીરીઝ 1-1થી બરાબર છે.
રાહુલ-જાડેજાની એન્ટ્રી પણ…
ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની 3 મેચ માટે પણ ઉપલબ્ધ નથી. BCCIએ કહ્યું હતું કે વિરાટ કોહલી અંગત કારણોસર બાકીની મેચો માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાં પરત ફર્યા છે પરંતુ મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સ બાદ જ તેમની ભાગીદારી શક્ય બનશે. જાડેજા અને રાહુલ ટીમમાં પરત ફર્યા હોવા છતાં તેઓ રમશે તે નિશ્ચિત નથી. જાડેજા અને રાહુલને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.
આ છે ભારતીય ટીમ
છેલ્લી 3 ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (ડબ્લ્યુકે), કેએસ ભરત (ડબ્લ્યુકે) , આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ રાજકોટમાં યોજાશે. ત્યાર બાદ ચોથી મેચ રાંચીમાં રમાવાની છે. સીરીઝની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે જ્યારે સીરીઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે. આ મેચ ધર્મશાલામાં યોજાવાની છે.
ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (ઇંગ્લેન્ડ 28 રનથી જીત્યું)
બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ભારત 106 રનથી જીત્યું)
ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
4થી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
5મી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાલા


