- શહેર પ્રમુખ સહિતના નેતાઓએ રૂટનું નિરીક્ષણ કર્યું
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાત્રે કરશે સમીક્ષા
- એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રૂટની સમીક્ષા કરશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ થી મહાત્મા મંદિર સુધી આવનારા દેશ-વિદેશના મહેમાનોને આવકારવા માટે રસ્તાઓ પર રંગોરંગાન, ગાર્ડનિંગ અને લાઈટનિંગ કરવામાં આવ્યું છે. શહરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને લઈને તડામાર તૈયારીઓ કરી લીધી છે. હવે આજે રાત્રે એરપોર્ટ પર પ્રધાનમંત્રીને આવકરવા માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે.
પીએમના આગમન પહેલાં તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ગુજરાત સરકારે પૂરજોશમાં તૈયારીઓ કરી લીધી છે. એરપોર્ટ પર વડાપ્રધાનને રિસિવ કરવાથી લઈને તેમના રાત્રિ રોકાણ સુધીની તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર આવશે ત્યારે તેમની સિક્યુરીટી થી લઈને તેમના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે.
અમદાવાદ ભાજપે સમીક્ષા કરી
અમદાવાદ શહેર ભાજપે પણ વડાપ્રધાનના આગમનને લઈને સમીક્ષા કરી છે, જેથી તેમના સ્વાગતમાં કોઈ ક્ષતિ ન રહી જાય. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટનું પણ નિરિક્ષણ કરી લીધું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
વડાપ્રધાનના આગમન પહેલાં તેમની સુરક્ષામાં નાનામાં નાની કોઈપણ બાબતની કચાશ ન નહી જાય તે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાત્રે પોતે રૂટ પર જઈ નિરીક્ષણ કરીને સમીક્ષા કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીના રૂટનું જાતપરિક્ષણ કરીને સમીક્ષા કરશે કે જેથી વડાપ્રધાનની સિક્યુરિટીમાં કોઈ કમી ન રહી જાય અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રડ શોનું આયોજન સફળ બનાવવાના બધા જ બનતા પ્રયાસો સરકાર દ્વારા આદરવામાં આવી રહ્યાં છે.
PM મોદી આજે રાત્રે ગુજરાત આવશે
આજે રાત્રે ગુજરાત આવશે નરેન્દ્ર મોદી. વડાપ્રધાન મોદી વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને ત્યારબાદ મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે, બેઠક બાદ પીએમ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
PM મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે
આ સિવાય વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે VGGS માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવેલા UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. વડાપ્રધાન સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.


