By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    8 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 hour ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોમાં રહેલા  વર્તન દોષને જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She World

બાળકોમાં રહેલા  વર્તન દોષને જાણો

agragujaratnews
Last updated: 2024/01/13 at 6:45 PM
1 year ago
Share
બાળકોમાં રહેલા  વર્તન દોષને જાણો
SHARE

 

Contents
બાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કારણે બાળકોનું  વર્તન સમસ્યારૂપ બનેપ્રત્યેક બાળકને ભૌતિક જરૂરિયાત, સ્વાતંત્ર્ય, સલામતી, અને માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. પરંતુ જયારે બાળકને તેના કુદરતી વિકાસ અને વ્યક્તિત્વને અનુરૂપ વાતાવરણ, પ્રેરણા, સહકાર ન મળે અને બાળક ત્યારે જે વર્તન કરે તેને વર્તન દોષ કહી શકાય. માતા પિતા, શિક્ષકો બાળકોના આવા વર્તનથી ચિંતાતુર બને છે. પરંતુ માતા તરીકે આપ તેની પાછળ રહેલા કારણ જાણી ઉપાય કરી શક્શોબાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કરને બાળકો કંઇક એવું વર્તન કરી બેસે છે જે સમસ્યારૂપ બને છે. ક્યારેક આવી મૂંઝવણના પરિણામે બાળકમાં નખ ચાવવા, હોઠ ચાવવા, જીભ બહાર કાઢવી, આંખો ચોળવી, વાળ ખેંચવા, દાંત કચકચાવવા જેવી કુટેવો પણ પડે છે. આવી સમસ્યાઓનું યોગ્ય નિવારણ લાવવા આ વર્તનના મૂળમાં જવું જરૂરી છે.દાદાગીરી કરવાનો સ્વભાવ પણ એક પ્રકારનો વર્તન દોષ કહી શકાય. ઘરમાં માતા પિતાને અન્ય કોઈ પર દાદાગીરી કરતા જોયા હોય તો બાળક પણ પોતાનાથી નાના બાળકો પર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે છે. પોતાની જરૂરિયાત સંતોષવામાં પણ જયારે અન્યાય થતો હોય ત્યારે બાળક દાદાગીરી કરે છે. આવા બાળકોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમની યોગ્ય જરૂરિયાત પુરી થઇ શકે તેનો પ્રયત્ન કરવો. આવા બાળકોને નેતૃત્વ વાળી જવાબદારી સોંપી શકાય. હોમીઓપેથીમાં આવા બાળકો માટે દવાઓ તાસીર મુજબ આપી શકાય.ઘણી વાર આપણે સંભાળતા હોઈએ છીએ કે “લે, આવડો અમસ્તો છોકરો મને છેતરી ગયો!” આ બાબતને માતા પિતા કે અન્ય વડીલો બાળકની સ્માર્ટનેસ સમજી હસી કાઢે છે, પણ આ વર્તનદોષ જરાય ઓછો ન આંકવો. વડીલો બાળકની શક્તિ બહારની અપેક્ષા રાખે ત્યારે અથવા તો બાળક અસલામતી અનુભવે ત્યારે બાળક છેતરપીંડીનો સહારો લે છે. આ પરિસ્થિતિ નિવારવા બાળક સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન રાખવું, જેથી બાળક સલામતી અનુભવે.ઘણા બાળકો પોતાના કુટંબ વિષે, પોતાના વિષે મોટી મોટી વાતો કરી અન્યને આંજી દેવાની ટેવ ધરાવે છે. આ પાછળ બાળકની લઘુતાગ્રંથી કામ કરે છે. અથવા તો બાળક પોતાની જાતને અન્ય કરતા શ્રેષ્ઠ સમજે છે એવી ભાવના પણ હોઈ શકે. આ ટેવ નિયંત્રિત ન કરાય તો બાળક શેખીખોર બની જાય છે અને કોઈ જલ્દીથી તેનો વિશ્વાસ પણ નથી કરતુ. આ ટેવ તુરંત નિયંત્રિત કરવી.બાળકો કે તરુણોને એકલા રહેવું પણ ગમતું હોય છે. સામાજિક વાતાવરણ માં ભળવું, કોઈ મહેમાન આવે તો તેમની સાથે વાત કરવી, શાળામાં મિત્રો બનાવવા વિગેરે આવા બાળકોને નથી ફાવતું. ઘરમાં પણ આવા બાળકો ચુપચાપ રહે છે. આવા વર્તન પાછળ બાળકની અસલામતીની અથવા લઘુતાગ્રંથીની ભાવના કામ કરે છે. આવા બાળકોને પોતાની મનોસૃષ્ટિમાં રાચવું ગમે છે. અન્યનો સંપર્ક ન ગમવાને કારણે બાળકનો સામાજિક વિકાસ રૂંધાય છે. માનસિક રીતે પણ બાળક ક્યારેક પછાત બને છે. અતડા રહેતા આવા બાળકને ઘર અને શાળામાં સહાનુભુતિ વાળું વાતાવરણ મળે તે જરૂરી. બધાની હાજરીમાં આ બાળકોની કદર કરો, જેથી બાળકની લઘુતાગ્રંથી દુર થશે અને પોતે પણ અતડાપણું છોડી બધા સાથે ભળવાનું શરુ કરશે. બાળકના અતડાપણા વિષે ખાસ સજાગ રહેવું. આ સમસ્યાનો ઉપાય ન કરવામાં આવે તો બાળક આગળ જતા સ્કીઝોફ્રેનીયા જેવી માનસિક બીમારીનો ભોગ પણ બની શકે.ઘણા બાળકો વાતે વાતે રિસાઈ જાય છે. બાળકની વાત ન માનવામાં આવે કે તેની ઈચ્છા ન સંતોષાય તો બાળક આવું વર્તન કરતુ હોય છે. આવા બાળકોની સહનશીલતા પણ ઓછી હોય છે. આવા બાળકો સંવેદનશીલ હોય છે. રિસાઈને ક્યારેક તેઓ સુનમુન બેસી રહે છે તો ક્યારેક રડવા લાગે છે. તરુણોમાં પણ સંવેદનશીલતા ની પરિસ્થિતિ અવગણવી નહિ. તેનો ઉકેલ લાવવો.ઘણા બાળકોને કંઈને કંઈ ભાંગફોડ કરવાની ટેવ હોય છે. દીવાલો પર લીટા કરવા, પેન્સિલ તોડવી, નોટ ચોપડીના પાના ફાડવા, બોલપેન દાંતથી ચાવી જવી, જાહેર મિલકતને નુકશાન પહોચાડવું વિગેરે. હકીકતે બાળકના આ વર્તન પાછળ બાળકનો ગુસ્સો, ક્રોધ કે અસંતોષ કામ કરે છે.વધુ પડતા લાડમાં ઉછરેલા બાળકો કે ઘરમાં વારંવાર તિરસ્કાર પામતા બાળકો આવા વર્તન તરફ વળી જાય છે. જે ભયસ્થાન કહી શકાય. આ બાળકોમાં સુધારો લાવવા ઘરનું વાતાવરણ  બાળકોને પ્રેરક બને એવું રાખવું, પ્રેમથી બાળકને સમજાવવું, બાળકને ઘરમાં અવગણવું નહિ પણ વધુ મહત્વ આપવું, ભાંગફોડીયા બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવા. બાળકની ઈચ્છા કચડાય નહિ તેનું ધ્યાન રાખવું. બાળકનો તિરસ્કાર કરવાથી બાળક વિદ્રોહી બને છે, માટે બાળકનો તિરસ્કાર ન કરવો. પરિસ્થિતિ સમજાવવાથી બાળક સમજે છે, એ વિશ્વાસ રાખવો.દરેક બાળક એક નવી કથા સમાન જ છે. બાળ ઉછેર ચોપડી વાંચી ને ન થઇ શકે. દરેક માતા પિતા પોતાના બાળકનો ઉછેર કરવામાં કાળજી રાખે એ જરૂરી છે.દરેક બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ વિકસાવવામાં માતા પિતાની કેળવણી મહત્વની છે. બાળકના વિકાસમાં અવરોધરૂપ વર્તનદોષ દુર કરવામાં હોમિયોપેથીક દવાઓ તમારી સાથે છે.“તમે પણ સ્વસ્થ રહો.”

બાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કારણે બાળકોનું  વર્તન સમસ્યારૂપ બને

 

પ્રત્યેક બાળકને ભૌતિક જરૂરિયાત, સ્વાતંત્ર્ય, સલામતી, અને માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. પરંતુ જયારે બાળકને તેના કુદરતી વિકાસ અને વ્યક્તિત્વને અનુરૂપ વાતાવરણ, પ્રેરણા, સહકાર ન મળે અને બાળક ત્યારે જે વર્તન કરે તેને વર્તન દોષ કહી શકાય. માતા પિતા, શિક્ષકો બાળકોના આવા વર્તનથી ચિંતાતુર બને છે. પરંતુ માતા તરીકે આપ તેની પાછળ રહેલા કારણ જાણી ઉપાય કરી શક્શો

બાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કરને બાળકો કંઇક એવું વર્તન કરી બેસે છે જે સમસ્યારૂપ બને છે. ક્યારેક આવી મૂંઝવણના પરિણામે બાળકમાં નખ ચાવવા, હોઠ ચાવવા, જીભ બહાર કાઢવી, આંખો ચોળવી, વાળ ખેંચવા, દાંત કચકચાવવા જેવી કુટેવો પણ પડે છે. આવી સમસ્યાઓનું યોગ્ય નિવારણ લાવવા આ વર્તનના મૂળમાં જવું જરૂરી છે.

દાદાગીરી કરવાનો સ્વભાવ પણ એક પ્રકારનો વર્તન દોષ કહી શકાય. ઘરમાં માતા પિતાને અન્ય કોઈ પર દાદાગીરી કરતા જોયા હોય તો બાળક પણ પોતાનાથી નાના બાળકો પર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે છે. પોતાની જરૂરિયાત સંતોષવામાં પણ જયારે અન્યાય થતો હોય ત્યારે બાળક દાદાગીરી કરે છે. આવા બાળકોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમની યોગ્ય જરૂરિયાત પુરી થઇ શકે તેનો પ્રયત્ન કરવો. આવા બાળકોને નેતૃત્વ વાળી જવાબદારી સોંપી શકાય. હોમીઓપેથીમાં આવા બાળકો માટે દવાઓ તાસીર મુજબ આપી શકાય.

ઘણી વાર આપણે સંભાળતા હોઈએ છીએ કે “લે, આવડો અમસ્તો છોકરો મને છેતરી ગયો!” આ બાબતને માતા પિતા કે અન્ય વડીલો બાળકની સ્માર્ટનેસ સમજી હસી કાઢે છે, પણ આ વર્તનદોષ જરાય ઓછો ન આંકવો. વડીલો બાળકની શક્તિ બહારની અપેક્ષા રાખે ત્યારે અથવા તો બાળક અસલામતી અનુભવે ત્યારે બાળક છેતરપીંડીનો સહારો લે છે. આ પરિસ્થિતિ નિવારવા બાળક સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન રાખવું, જેથી બાળક સલામતી અનુભવે.

ઘણા બાળકો પોતાના કુટંબ વિષે, પોતાના વિષે મોટી મોટી વાતો કરી અન્યને આંજી દેવાની ટેવ ધરાવે છે. આ પાછળ બાળકની લઘુતાગ્રંથી કામ કરે છે. અથવા તો બાળક પોતાની જાતને અન્ય કરતા શ્રેષ્ઠ સમજે છે એવી ભાવના પણ હોઈ શકે. આ ટેવ નિયંત્રિત ન કરાય તો બાળક શેખીખોર બની જાય છે અને કોઈ જલ્દીથી તેનો વિશ્વાસ પણ નથી કરતુ. આ ટેવ તુરંત નિયંત્રિત કરવી.

બાળકો કે તરુણોને એકલા રહેવું પણ ગમતું હોય છે. સામાજિક વાતાવરણ માં ભળવું, કોઈ મહેમાન આવે તો તેમની સાથે વાત કરવી, શાળામાં મિત્રો બનાવવા વિગેરે આવા બાળકોને નથી ફાવતું. ઘરમાં પણ આવા બાળકો ચુપચાપ રહે છે. આવા વર્તન પાછળ બાળકની અસલામતીની અથવા લઘુતાગ્રંથીની ભાવના કામ કરે છે. આવા બાળકોને પોતાની મનોસૃષ્ટિમાં રાચવું ગમે છે. અન્યનો સંપર્ક ન ગમવાને કારણે બાળકનો સામાજિક વિકાસ રૂંધાય છે. માનસિક રીતે પણ બાળક ક્યારેક પછાત બને છે. અતડા રહેતા આવા બાળકને ઘર અને શાળામાં સહાનુભુતિ વાળું વાતાવરણ મળે તે જરૂરી. બધાની હાજરીમાં આ બાળકોની કદર કરો, જેથી બાળકની લઘુતાગ્રંથી દુર થશે અને પોતે પણ અતડાપણું છોડી બધા સાથે ભળવાનું શરુ કરશે. બાળકના અતડાપણા વિષે ખાસ સજાગ રહેવું. આ સમસ્યાનો ઉપાય ન કરવામાં આવે તો બાળક આગળ જતા સ્કીઝોફ્રેનીયા જેવી માનસિક બીમારીનો ભોગ પણ બની શકે.

ઘણા બાળકો વાતે વાતે રિસાઈ જાય છે. બાળકની વાત ન માનવામાં આવે કે તેની ઈચ્છા ન સંતોષાય તો બાળક આવું વર્તન કરતુ હોય છે. આવા બાળકોની સહનશીલતા પણ ઓછી હોય છે. આવા બાળકો સંવેદનશીલ હોય છે. રિસાઈને ક્યારેક તેઓ સુનમુન બેસી રહે છે તો ક્યારેક રડવા લાગે છે. તરુણોમાં પણ સંવેદનશીલતા ની પરિસ્થિતિ અવગણવી નહિ. તેનો ઉકેલ લાવવો.

ઘણા બાળકોને કંઈને કંઈ ભાંગફોડ કરવાની ટેવ હોય છે. દીવાલો પર લીટા કરવા, પેન્સિલ તોડવી, નોટ ચોપડીના પાના ફાડવા, બોલપેન દાંતથી ચાવી જવી, જાહેર મિલકતને નુકશાન પહોચાડવું વિગેરે. હકીકતે બાળકના આ વર્તન પાછળ બાળકનો ગુસ્સો, ક્રોધ કે અસંતોષ કામ કરે છે.વધુ પડતા લાડમાં ઉછરેલા બાળકો કે ઘરમાં વારંવાર તિરસ્કાર પામતા બાળકો આવા વર્તન તરફ વળી જાય છે. જે ભયસ્થાન કહી શકાય. આ બાળકોમાં સુધારો લાવવા ઘરનું વાતાવરણ  બાળકોને પ્રેરક બને એવું રાખવું, પ્રેમથી બાળકને સમજાવવું, બાળકને ઘરમાં અવગણવું નહિ પણ વધુ મહત્વ આપવું, ભાંગફોડીયા બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવા. બાળકની ઈચ્છા કચડાય નહિ તેનું ધ્યાન રાખવું. બાળકનો તિરસ્કાર કરવાથી બાળક વિદ્રોહી બને છે, માટે બાળકનો તિરસ્કાર ન કરવો. પરિસ્થિતિ સમજાવવાથી બાળક સમજે છે, એ વિશ્વાસ રાખવો.

દરેક બાળક એક નવી કથા સમાન જ છે. બાળ ઉછેર ચોપડી વાંચી ને ન થઇ શકે. દરેક માતા પિતા પોતાના બાળકનો ઉછેર કરવામાં કાળજી રાખે એ જરૂરી છે.દરેક બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ વિકસાવવામાં માતા પિતાની કેળવણી મહત્વની છે. બાળકના વિકાસમાં અવરોધરૂપ વર્તનદોષ દુર કરવામાં હોમિયોપેથીક દવાઓ તમારી સાથે છે.

“તમે પણ સ્વસ્થ રહો.”

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
સ્પોર્ટ્સ

Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

By 16 hours ago
PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?