બાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કારણે બાળકોનું વર્તન સમસ્યારૂપ બનેપ્રત્યેક બાળકને ભૌતિક જરૂરિયાત, સ્વાતંત્ર્ય, સલામતી, અને માર્ગદર્શનની જરૂરિયાત રહે છે. પરંતુ જયારે બાળકને તેના કુદરતી વિકાસ અને વ્યક્તિત્વને અનુરૂપ વાતાવરણ, પ્રેરણા, સહકાર ન મળે અને બાળક ત્યારે જે વર્તન કરે તેને વર્તન દોષ કહી શકાય. માતા પિતા, શિક્ષકો બાળકોના આવા વર્તનથી ચિંતાતુર બને છે. પરંતુ માતા તરીકે આપ તેની પાછળ રહેલા કારણ જાણી ઉપાય કરી શક્શોબાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કરને બાળકો કંઇક એવું વર્તન કરી બેસે છે જે સમસ્યારૂપ બને છે. ક્યારેક આવી મૂંઝવણના પરિણામે બાળકમાં નખ ચાવવા, હોઠ ચાવવા, જીભ બહાર કાઢવી, આંખો ચોળવી, વાળ ખેંચવા, દાંત કચકચાવવા જેવી કુટેવો પણ પડે છે. આવી સમસ્યાઓનું યોગ્ય નિવારણ લાવવા આ વર્તનના મૂળમાં જવું જરૂરી છે.દાદાગીરી કરવાનો સ્વભાવ પણ એક પ્રકારનો વર્તન દોષ કહી શકાય. ઘરમાં માતા પિતાને અન્ય કોઈ પર દાદાગીરી કરતા જોયા હોય તો બાળક પણ પોતાનાથી નાના બાળકો પર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરે છે. પોતાની જરૂરિયાત સંતોષવામાં પણ જયારે અન્યાય થતો હોય ત્યારે બાળક દાદાગીરી કરે છે. આવા બાળકોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમની યોગ્ય જરૂરિયાત પુરી થઇ શકે તેનો પ્રયત્ન કરવો. આવા બાળકોને નેતૃત્વ વાળી જવાબદારી સોંપી શકાય. હોમીઓપેથીમાં આવા બાળકો માટે દવાઓ તાસીર મુજબ આપી શકાય.ઘણી વાર આપણે સંભાળતા હોઈએ છીએ કે “લે, આવડો અમસ્તો છોકરો મને છેતરી ગયો!” આ બાબતને માતા પિતા કે અન્ય વડીલો બાળકની સ્માર્ટનેસ સમજી હસી કાઢે છે, પણ આ વર્તનદોષ જરાય ઓછો ન આંકવો. વડીલો બાળકની શક્તિ બહારની અપેક્ષા રાખે ત્યારે અથવા તો બાળક અસલામતી અનુભવે ત્યારે બાળક છેતરપીંડીનો સહારો લે છે. આ પરિસ્થિતિ નિવારવા બાળક સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન રાખવું, જેથી બાળક સલામતી અનુભવે.ઘણા બાળકો પોતાના કુટંબ વિષે, પોતાના વિષે મોટી મોટી વાતો કરી અન્યને આંજી દેવાની ટેવ ધરાવે છે. આ પાછળ બાળકની લઘુતાગ્રંથી કામ કરે છે. અથવા તો બાળક પોતાની જાતને અન્ય કરતા શ્રેષ્ઠ સમજે છે એવી ભાવના પણ હોઈ શકે. આ ટેવ નિયંત્રિત ન કરાય તો બાળક શેખીખોર બની જાય છે અને કોઈ જલ્દીથી તેનો વિશ્વાસ પણ નથી કરતુ. આ ટેવ તુરંત નિયંત્રિત કરવી.બાળકો કે તરુણોને એકલા રહેવું પણ ગમતું હોય છે. સામાજિક વાતાવરણ માં ભળવું, કોઈ મહેમાન આવે તો તેમની સાથે વાત કરવી, શાળામાં મિત્રો બનાવવા વિગેરે આવા બાળકોને નથી ફાવતું. ઘરમાં પણ આવા બાળકો ચુપચાપ રહે છે. આવા વર્તન પાછળ બાળકની અસલામતીની અથવા લઘુતાગ્રંથીની ભાવના કામ કરે છે. આવા બાળકોને પોતાની મનોસૃષ્ટિમાં રાચવું ગમે છે. અન્યનો સંપર્ક ન ગમવાને કારણે બાળકનો સામાજિક વિકાસ રૂંધાય છે. માનસિક રીતે પણ બાળક ક્યારેક પછાત બને છે. અતડા રહેતા આવા બાળકને ઘર અને શાળામાં સહાનુભુતિ વાળું વાતાવરણ મળે તે જરૂરી. બધાની હાજરીમાં આ બાળકોની કદર કરો, જેથી બાળકની લઘુતાગ્રંથી દુર થશે અને પોતે પણ અતડાપણું છોડી બધા સાથે ભળવાનું શરુ કરશે. બાળકના અતડાપણા વિષે ખાસ સજાગ રહેવું. આ સમસ્યાનો ઉપાય ન કરવામાં આવે તો બાળક આગળ જતા સ્કીઝોફ્રેનીયા જેવી માનસિક બીમારીનો ભોગ પણ બની શકે.ઘણા બાળકો વાતે વાતે રિસાઈ જાય છે. બાળકની વાત ન માનવામાં આવે કે તેની ઈચ્છા ન સંતોષાય તો બાળક આવું વર્તન કરતુ હોય છે. આવા બાળકોની સહનશીલતા પણ ઓછી હોય છે. આવા બાળકો સંવેદનશીલ હોય છે. રિસાઈને ક્યારેક તેઓ સુનમુન બેસી રહે છે તો ક્યારેક રડવા લાગે છે. તરુણોમાં પણ સંવેદનશીલતા ની પરિસ્થિતિ અવગણવી નહિ. તેનો ઉકેલ લાવવો.ઘણા બાળકોને કંઈને કંઈ ભાંગફોડ કરવાની ટેવ હોય છે. દીવાલો પર લીટા કરવા, પેન્સિલ તોડવી, નોટ ચોપડીના પાના ફાડવા, બોલપેન દાંતથી ચાવી જવી, જાહેર મિલકતને નુકશાન પહોચાડવું વિગેરે. હકીકતે બાળકના આ વર્તન પાછળ બાળકનો ગુસ્સો, ક્રોધ કે અસંતોષ કામ કરે છે.વધુ પડતા લાડમાં ઉછરેલા બાળકો કે ઘરમાં વારંવાર તિરસ્કાર પામતા બાળકો આવા વર્તન તરફ વળી જાય છે. જે ભયસ્થાન કહી શકાય. આ બાળકોમાં સુધારો લાવવા ઘરનું વાતાવરણ બાળકોને પ્રેરક બને એવું રાખવું, પ્રેમથી બાળકને સમજાવવું, બાળકને ઘરમાં અવગણવું નહિ પણ વધુ મહત્વ આપવું, ભાંગફોડીયા બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવા. બાળકની ઈચ્છા કચડાય નહિ તેનું ધ્યાન રાખવું. બાળકનો તિરસ્કાર કરવાથી બાળક વિદ્રોહી બને છે, માટે બાળકનો તિરસ્કાર ન કરવો. પરિસ્થિતિ સમજાવવાથી બાળક સમજે છે, એ વિશ્વાસ રાખવો.દરેક બાળક એક નવી કથા સમાન જ છે. બાળ ઉછેર ચોપડી વાંચી ને ન થઇ શકે. દરેક માતા પિતા પોતાના બાળકનો ઉછેર કરવામાં કાળજી રાખે એ જરૂરી છે.દરેક બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ વિકસાવવામાં માતા પિતાની કેળવણી મહત્વની છે. બાળકના વિકાસમાં અવરોધરૂપ વર્તનદોષ દુર કરવામાં હોમિયોપેથીક દવાઓ તમારી સાથે છે.“તમે પણ સ્વસ્થ રહો.”
બાળકના વર્તનદોષ પાછળ જે પરિબળો કામ કરે છે તે છે ચિંતા, મૂંઝવણ અને ભય. જેને કારણે બાળકોનું વર્તન સમસ્યારૂપ બને