By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સર્વજીવ હિતકારી અને સર્વધર્મ સમભાવનાના આરાધક : સહજાનંદ સ્વામી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સર્વજીવ હિતકારી અને સર્વધર્મ સમભાવનાના આરાધક : સહજાનંદ સ્વામી

agragujaratnews
Last updated: 2024/04/11 at 5:05 AM
1 year ago
Share
સર્વજીવ હિતકારી અને સર્વધર્મ સમભાવનાના આરાધક : સહજાનંદ સ્વામી
SHARE

ગિયાર વરસનો બાળક જીવ શું છે? ઈશ્વર શું છે? માયા શું છે? બહ્મ શું છે? પરમબહ્મ શું છે? જેવા અકળિત મર્મને આત્મસાત્ કરવાની ઇચ્છા પ્રગટ કરે એ જ અસાધારણ ઘટના છે. છપૈયાની ભૂમિ પર પ્રગટ થયેલા ઘનશ્યામ નીલકંઠવર્ણી રૂપે કલ્યાણ યાત્રાનો આરંભ કરે છે. ભારતવર્ષની મહાભૂમિ પર પગપાળા વિચરણ કરતા નીલકંઠવર્ણી સોરઠના લોએજમાં પધારે છે. સાત વરસ, એક મહિનો અને અગિયાર દિવસ સુધી નિરંતર ચાલેલી આ યાત્રા મુક્તાનંદ સ્વામીના મિલન સાથે પુર્ણાહૂતિ પામે છે. મુક્તાનંદ સ્વામી પાસે નીલંકઠવર્ણીને તમામ સંતોષકારક જવાબ મળે છે.

આ નીલકંઠવર્ણી એટલે સ્વયં ભગવાન સ્વામિનારાયણ. ભારતની ભૂમિ એટલી મહાન છે કે આ ધરા પર અસાધારણ વાતો પણ સાધારણ લાગે. ભારત સંસ્કૃતિથી ઘડાયેલો દેશ છે અને તેના આધારસ્તંભો આપણા અવતારો છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ ભારતના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન કૃષ્ણની પરંપરાને ઈષ્ટદેવના સ્વરૂપે સ્વીકારીને ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની ભૂમિને પાવન કરી છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્ય દિવસ સાથે જોડાયેલો છે. ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે છપૈયામાં કરોડો જીવના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે જન્મ લીધો હતો.

સોરઠની ધરા પર પધારેલા નીલકંઠવર્ણીને ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને સહજાનંદ સ્વામી તેમજ નારાયણ મુનિ એમ બે નામ આપ્યાં. સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને કરોડો જીવોના કલ્યાણ માટે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. બ્રહ્માંડ પુરાણના ઉલ્લેખ અનુસાર કળિયુગમાં સ્વામિનારાયણના નામથી ભગવાન જન્મ લેશે. આપણાં ધર્મશાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા લખાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મશાસ્ત્રોમાં વિશેષ મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે.

પાખંડ, વ્યસન અને અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનેલા લોકોને ધર્મનું માહાત્મ્ય સમજાવ્યું અને સત્સંગ સમાજનું નિર્માણ કર્યું. ભગવાન સ્વામિનારાયણ દ્વારા થયેલા સમાજસુધારણા કાર્યની નોંધ અને તેમની વિચારધારાને અંગ્રેજી સાહિત્યમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને એ વખતે રાજકોટના ગવર્નર તરીકે કાર્યરત જ્હોન માલ્કમ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે લખેલી શિક્ષાપત્રી તેમને આપી હતી, જે આજે પણ બ્રિટિશ લાઇબ્રેરીમાં છે.

આ દેશ શક્તિનો પૂજક રહ્યો છે. નારીને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ એ વખતે બાળકીને જન્મતાંવેંત દૂધપીતી કરવાની પ્રથા પ્રવર્તમાન હતી. આ પ્રથાને અટકાવવાનું કામ સહજાનંદ સ્વામીએ સારી રીતે કર્યું. એટલું જ નહીં દારૂ, ગાંજો અને અફીણના વ્યસનમાં મગ્ન લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવી સંસ્કારી અને મજબૂત સમાજના નિર્માણનું કાર્ય કર્યું. તેઓ જાણતા હતા કે એક વ્યક્તિના માધ્યમથી સામાજિક પરિવર્તન લાવવાં શક્ય નથી અને એટલે જ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. આધ્યાત્મિક ઉત્થાન અને કલ્યાણ માટે નંદ સંતોની દિવ્ય પરંપરામાં પાંચસો જેટલા પરમહંસોને દીક્ષા આપી. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી જેવા સમર્થ સંતોએ સંપ્રદાયના વારસાનું સંવર્ધન કર્યું.

નંદ સંતોના માધ્યમથી હજારો લોકોની આધ્યાત્મિક જિજીવિષાને પૂરી કરી ધર્મમાર્ગને પ્રશસ્ત કર્યો. કોઈ એક વ્યક્તિ કે જ્ઞાતિ જ નહીં, પરંતુ સમાજના છેવાડાનો વર્ગ પણ આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી સમાજમાં એક સારું સ્થાન પ્રાપ્ત કરે એવા શુભ આશયથી ભગવાને સંતોની સાથે તમામ લોકોનાં હૃદયની ભાવનાઓનો સ્વીકાર કર્યો, લોકોને સાંત્વના આપીને તેમની ઇચ્છાઓ સંતૃપ્ત કરી માનવહૈયાને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવ્યો.

સંતો, પાર્ષદો અને ભક્તોની સાથે સહજાનંદ સ્વામીએ આખાય ગુજરાતનું વિચરણ કર્યું હતું. ગુજરાતની ભૂમિ પર તેમણે સર્વજીવ હિતાવહ અને સર્વધર્મ સમભાવનાના ઉદ્દેશ્ય સાથે છ મંદિરોનું નિર્માણકાર્ય કર્યું હતું. અમદાવાદ, વડતાલ, ભુજ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડામાં ભગવાન સ્વામિનારાયણે ભગવાન કૃષ્ણના સ્વરૂપની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. મંદિરોની સ્થાપના કરી ઉપાસનાની ગંગા વહેતી કરી, જે આજે પણ અવિરત છે. સ્વામિનારાયણ સંપ્રદાયે વિશ્વના અનેક દેશમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bihar પોલીસની મોટી કાર્યવાહી, 7 મહિનામાં 6,531 લીટર દારુ કર્યો જપ્ત, 45 તસ્કરોની કરી ધરપકડ
રાષ્ટ્રિય

Bihar પોલીસની મોટી કાર્યવાહી, 7 મહિનામાં 6,531 લીટર દારુ કર્યો જપ્ત, 45 તસ્કરોની કરી ધરપકડ

By 3 hours ago
Health News : ભારતની મહિલામાં જોવા મળ્યું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ CRIB, જાણો કેવી રીતે સામે આવી હકીકત
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
શું તમને વારંવાર થઇ જાય છે ગેસ? તમારા ડાયટમાં આ વસ્તુ તો નથી ને?
Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?