ભારતીય રેલવે દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ભારત ગૌરવ ટ્રેન ટૂર શરૂ કરાઈ છે. આ ટ્રેન 9 જૂન 2025ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શરૂ થશે.ભારત ગૌરવ ટ્રેન ટૂરને મુસાફરોના સો ટકા બુકિંગ સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કૂલ 710 મુસાફરો આ ટ્રેનની યાત્રામાં ભાગ લેશે. જેમાં ઇકોનોમીમાં 480, 3ACમાં 190 અને 2ACમાં 40 મુસાફરોનો સમાવેશ થાય છે.
શિવાજી મહારાજની 351મી રાજ્યાભિષેક જયંતિની ઉજવણી
ભારત ગૌરવ ટ્રેન યાત્રા છત્રપતિ શિવાજી મહારાજની 351મી રાજ્યાભિષેક જયંતિની ઉજવણી માટે શરૂ કરાઈ છે. આ ટ્રેન 9 જૂન 2025ના રોજ રાયગઢ પહોંચશે અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલા સ્થળોના દર્શન કરાવશે. આ ટ્રેનમાં પાંચ રાત અને છ દિવસના સમયગાળામાં છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય વારસા અને ગૌરવપૂર્ણ ઇતિહાસને દર્શાવતો ખાસ ક્યુરેટેડ પ્રવાસ છે.આ પ્રવાસ મહારાષ્ટ્ર સરકાર અને ભારતીય રેલ્વે વચ્ચનું સંયુક્ત સાહસ છે. આ પ્રવાસમાં રાયગઢ કિલ્લો, શિવનેરી કિલ્લો, પ્રતાપગઢ કિલ્લો, પન્હાલા કિલ્લો, લાલ મહેલ, કસ્બા ગણપતિ અને શિવસૃષ્ટિ જેવા ઐતિહાસિક સ્થળોને આવરી લેવાશે.જે મહાન મરાઠા શાસકના જીવનમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો રજૂ કરે છે.બે વધારાના આકર્ષણોમાં કોલ્હાપુરમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ અને મહાલક્ષ્મી મંદિરનો સમાવેશ થાય છે.
6 દિવસનો પ્રવાસ મુંબઈથી શરૂ થશે
6 દિવસનો પ્રવાસ મુંબઈથી શરૂ થશે. પ્રથમ દિવસે, ટ્રેન કોંકણ રેલ્વે નેટવર્ક પર માનગાંવ રેલ્વે સ્ટેશન પર પહોંચશે. જે રાયગઢ કિલ્લાની સૌથી નજીકની રેલ લિંક છે. પ્રથમ સ્થળ રાયગઢ તેના પર્વતીય કિલ્લા માટે પ્રખ્યાત છે. જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. જોવાલાયક સ્થળોનો પ્રવાસ પછી, પ્રવાસીઓ ટ્રેનમાં પાછા ફરશે જે પછી પુણે જશે.જ્યાં રાત્રિભોજન પીરસવામાં આવશે અને હોટલમાં રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.પ્રવાસના બીજા દિવસે, મુલાકાતીઓ પુણેના મુખ્ય સ્થળોની મુલાકાત લેશે જેમાં લાલ મહેલ, કસ્બા ગણપતિ અને શિવસૃષ્ટિનો સમાવેશ થાય છે. લાલ મહેલની હાલની રચના 1984માં મૂળ સ્થળના એક ભાગ પર ફરીથી બનાવવામાં આવી હતી અને તેમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનની મુખ્ય ઘટનાઓ દર્શાવતા તૈલચિત્રોનો વિશાળ સંગ્રહ છે.પુણેમાં રાત્રિ રોકાણ કર્યા પછી ત્રીજા દિવસે પ્રવાસીઓ શિવનેરીની મુલાકાત લેશે.
મરાઠા ગૌરવ અને મુઘલ શાસન સામે પ્રતિકારનુ પ્રતીક
છત્રપતિ શિવાજી મહારાજનું જન્મસ્થળ અને મરાઠા ગૌરવ અને મુઘલ શાસન સામે પ્રતિકારનુ પ્રતીક છે. પ્રવાસીઓ અહીં બપોરના ભોજન પછી રાત્રે પુણે પાછા ફરતા પહેલા બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લેશે. ચોથા દિવસે પ્રવાસીઓ આ ટ્રેનમાં સતારા જવા રવાના થશે.આ સ્ટેશનથી આવરી લેવામાં આવતું મુખ્ય સ્થળ પ્રતાપગઢ કિલ્લો છે. જે 1659માં છત્રપતિ શિવાજી મહારાજ અને બીજાપુરના સેનાપતિ અફઝલ ખાન વચ્ચે થયેલા પ્રતાપગઢના યુદ્ધને કારણે ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ યુદ્ધ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી જેણે મરાઠા સામ્રાજ્યની સ્થાપનાનો માર્ગ મોકળો કર્યો હતો.
છત્રપતિ શિવાજી મહારાજ અને શંભાજી મહારાજનું જીવન
ત્યાર બાદ પ્રવાસીઓ મહાલક્ષ્મી મંદિર (જેને અંબાબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે)ની મુલાકાત લેશે અને પન્હાલા કિલ્લા તરફ આગળ વધશે.સહ્યાદ્રી પર્વતમાળાની ટોચ પર સ્થિત આ ટેકરી કિલ્લાએ અસંખ્ય યુદ્ધો જોયા છે અને છત્રપતિ શિવાજી મહારાજ સાથે મજબૂત જોડાણ ધરાવે છે.જેમણે અહીં 500 થી વધુ દિવસ વિતાવ્યા હતા.તેમને આ કિલ્લામાં કેદ કરવામાં આવ્યા હતા અને બાદમાં તે ભાગી ગયા હતા. આ કિલ્લો જે તેના સર્પ આકારને કારણે “સાપના કિલ્લા” તરીકે પણ ઓળખાય છે. તે છત્રપતિ શિવાજી મહારાજ અને શંભાજી મહારાજના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. કિલ્લા પર નિયંત્રણ જાળવી રાખવા માટે શિવાજી મહારાજના સેનાપતિ બાજી પ્રભુ દેશપાંડે દ્વારા બતાવેલ બહાદુરી માટે તેને યાદ કરવામાં આવે છે.