NHAIએ મેરઠ-કરનલા સેક્શનના ભુની ટોલ પ્લાઝા પર તૈનાત ટોલકર્મીઓ દ્વારા સેનાના જવાન સાથે ખરાબ વ્યવહાર કરવા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટ 2025એ થયેલી આ ઘટના બાદ NHAIએ ટોલ વસૂલતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. સાથે જ તેની ઉપર 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ટોલ એજન્સીએ મેસર્સ ધર્મ સિંહને ઘટના પર સ્પષ્ટતા માટે કારણ દર્શન નોટિસ મોકલી
એટલું જ નહીં NHAIએ ટોલ એજન્સી પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે અને તેની 5 લાખ રૂપિયાની પરફોમન્સ સિક્યોરિટી પણ જપ્ત કરી લીધી છે. આ સિવાય ભુની ટોલ પ્લાઝા પર ક્ષતિગ્રસ્ત ઉપકરણો અને ઈન્ફ્રાસ્ટક્ચર ખર્ચ માટે 3.66 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે. જણાવી દઈએ કે જે જવાન સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતો. ટોલ એજન્સીએ મેસર્સ ધર્મ સિંહને ઘટના પર સ્પષ્ટતા માટે કારણ દર્શન નોટિસ મોકલી હતી પણ તેનો જવાબ અસંતોષજનક આપવામાં આવ્યો છે. તપાસમાં એજન્સીને નિયમોનું ઉલ્લંઘન કરતા દોષી ગણવામાં આવી છે. જેમાં ટોલ કર્મચારીઓ દ્વારા ખરાબ વ્યવહાર, મારપીટ, જાહેર સંપતિને નુકસાન જેવી વસ્તુઓ સામેલ હતી.
મારામારી કરનારા 6 આરોપીની ધરપકડ
તમને જણાવી દઈએ કે આ કેસના 6 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘટના સાથે જોડાયેલા 6 આરોપી સચિન, વિજય, અનુજ, અંકિત, સુરેશ રાણા અને અંકિત શર્માની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર હત્યાનો પ્રયાસ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા હતા. જે સેનાના જવાન સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો તે ઓપરેશન સિંદૂરમાં સામેલ હતો અને પોતાની રજાઓ પૂર્ણ કર્યા બાદ તે દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ પકડીને ડ્યૂટી પર પરત જઈ રહ્યો હતો.


