- આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા
- શહેનાઝને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો
- 42 જેટલા ઇ-મેઇલ આઇપી એડ્રેસ પરથી ધમકી આપતો હતો
હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે,જેમાં અનેક ખુલાસાઓ થયા છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્રારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી,જેમાં તેમણે તપાસ દરમિયાનની મોટી વાતો કરી હતી.મૌલવી પાસેથી બે અલગ અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા તો મૌલાના સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે,જેમાં સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું છે.
આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને આપી હતી ધમકી
આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા સામે આવી છે,આરોપી શહેનાઝ હમણાં સુધી વર્ચ્યુઅલ નંબર અને 42 જેટલા ઇમેઇલ આઈપી એડ્રેસ પરથી આપતો હતો ધમકી.આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરે અલગ અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો સાથે સાથે તે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો,મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરાઈ હતી.શકીલ ઉર્ફે રઝા એ મોબાઈલ તોડી નાખ્યો હતો,જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે,પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો.સુરેશ રાજપૂત,ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.
પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ?
આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી.
મૌલવીની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (27)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી 16 મે સુધી પોલીસ કસ્ટડીમાં છે.
શહનાઝની બિહારથી ધરપકડ
ગયા અઠવાડિયે આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડયું
પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.


