- રાજ્ય પોલીસ વડાનો નિર્ણય
- 6400 ટીઆરબી જવાનો થશે ફરજમુક્ત
- માર્ચ 2024 સુધીમાં તમામને છૂટા કરી દેવાશે
ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસને સહાયતા માટે કામ કરતા TRB જવાનોના કાફલામાંથી અલગ અલગ તબક્કે કુલ 6400 જવાનોને છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
આ મામલે મોટી જાણકારી અનુસાર રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર માર્ચ 2024 સુધીમાં કુલ 6400 TRB જવાનોને છૂટા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના અનુસાર 1100 જવાનોને ચાલુ મહિનાના અંતમાં જ છૂટા કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતા મહિને એટલે કે ડિસેમ્બર 2023માં કુલ 3000 જવાનોને છૂટા કરી દેવાશે અને આ ઉપરાંત માર્ચ 2024માં કુલ 2300 જવાનોને છૂટા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ નિર્ણય અનુસાર સર્વિસમાં 10 વર્ષ પૂર્ણ કરેલા 1100 જવાનોને ચાલુ મહિનામાં જ છૂટા કરી દેવાના આદેશ ડીજીપી વિકાસ સહાયે કર્યા છે. આ ઉપરાંત જે જવાનોના TRB સર્વિસમાં 5 વર્ષ પૂર્ણ થયા છે તેમને ડિસેમ્બર 2023માં છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્વિસમાં 3 વર્ષનો સમયગાળો પૂ્ર્ણ કરેલા આશરે 2300 જેટલા જવાનોને આગામી માર્ચ 2024માં ફરજમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ નિર્ણય લેવા પાછળનું કારણ ટીઆરબી જવાનોના ભ્રષ્ટાચાર, લાયસન્સ કે વીમા વગેરેના કાગળો માગી લાંચ માગવાની પ્રવૃત્તિ અને વારંવારની ફરિયાદોને લઈને આખરે રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારે એક આંકડા પ્રમાણે જોઈએ તો ટીઆરબી જવાનોના કાફલામાં રાજ્યભરમાં કુલ 9000 જવાનો હાલ ફરજપર છે. જેમાંથી 6400 જેટલા જવાનોને ફરજમુક્ત કરવાના આદેશો અપાયા છે.


