By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાધારાણીનો જન્મદિવસ : રાધાષ્ટમી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

રાધારાણીનો જન્મદિવસ : રાધાષ્ટમી

agragujaratnews
Last updated: 2023/10/05 at 6:01 PM
2 years ago
Share
રાધારાણીનો જન્મદિવસ : રાધાષ્ટમી
SHARE

ભગવાન શ્રીકૃષ્ણની અંતરંગ શક્તિ એટલે રાધારાણી. ભાદરવા સુદ આઠમના શુભ દિને શુક્લ (સુદ) પક્ષના મધ્યાહ્ને ચોર્યાસીકોશી વ્રજમંડલમાં બરસાનાથી નજીક રાવળ ગામમાં ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી વૃષભાણજી અને કીર્તિદાદેવીને ત્યાં માતા-પિતાનું સદ્ગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તારઅર્થે રાધિકાજીનું પ્રાગટ્ય થયું હતું. ત્રેતાયુગમાં જાનકી, દ્વાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો હતો. આમ, શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં. જો વ્રજેશ્વરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ન લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઈ હોત! આપણને મળ્યા હોત પાર્થસારથિ, દ્વારિકાધીશ, યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ, ગર્ગસંહિતા અને સુરસાગરમાં ગુપ્ત રીતે દર્શાવ્યો છે. સંતો, મહંતો અને ભાગવતકારો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણ એક જ પરમતત્ત્વ છે. આ પૃથ્વી ઉપર માત્ર લીલાઓ માટે જ તેઓ જુદાં બન્યાં છે.

આ રાધિકાજી કોણ છે અને તેમના ચિંતન સ્મરણથી શું? આ જાણવાની જિજ્ઞાસા પ્રત્યેકના હૃદયમાં અવશ્ય હોય. પ્રેમ, સમર્પણ અને ભક્તિભાવનું સર્વશ્રેષ્ઠ દર્શન એટલે શ્રીરાધાજી. લજ્જા, પ્રેમ, કોમળતા, લાવણ્ય, સમર્પણ વગેરે રાધાજીના દૈવી ગુણો છે. ભારતમાં વિખ્યાત ચાર સંપ્રદાય પૈકીમાંના નિમ્બાર્ક, પુષ્ટિમાર્ગીય અને ગૌડીય વૈષ્ણવ સમાજ આ રાધાષ્ટમી મહોત્સવને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ભારતભરમાં ઊજવવામાં આવે છે.

રાધાજી એ કોઈ એક સંપ્રદાય દ્વારા વર્ણવવાની બાબત નથી. રાધાજી તો સર્વ આરાધ્ય અને સર્વ ઉપાસક તત્ત્વ છે. તેઓ પ્રેમમૂર્તિ, કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી દેવી છે. તેઓ કોઇનું પણ દુઃખ જોઇ શકતાં નથી એટલે જ તો તેમના જેવાં કોઈ દયાળુ નથી. ભગવાન શ્રીકૃષ્ણ પાસે કોઇ પાપી જીવ જાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેને કસોટીની એરણે ચઢાવે છે. કૃષ્ણ સમજે છે કે આ જીવ અતિ પાપી છે જેથી એને જલદી દર્શન આપી શકાય નહીં, પરંતુ તે જ પાપી જીવ જ્યારે રાધાજીના શરણમાં જાય છે ત્યારે રાધાજીને તે જીવ ઉપર ખૂબ જ દયા આવે છે. રાધાજી શ્રીકૃષ્ણને વિનવણી કરે છે કે હે પ્રભુ! આ જીવ ઉપર આપ કૃપા કરો. આમ, રાધાજીની વિનવણીથી ભગવાન શ્રીકૃષ્ણ તે જીવનો ઉદ્ધાર કરે છે. આ કળિયુગમાં ભગવતીની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના. ભક્તિથી ભક્ત થયા પછી જ ભગવાન મળે.

ગીત ગોવિંદ કાવ્યમાં રાધાજીનાં રૂપ-સૌંદર્યનું વર્ણન કરવામાં આવ્યું છે તથા હરિવંશપુરાણ, વાયપુરાણ અને ભાગવતજીમાં રાધાજીનો મહિમા આપણને અપરંપાર જોવા મળે છે. રાધાજીનું સૌંદર્ય અજોડ છે. રાધાજી સ્વયં આનંદ સ્વરૂપ છે. કેવળ પ્રેમભાવ-હિતભાવ જ રાધાજીને પામવાનો માર્ગ છે. સ્વયં રાધાભાવનું જ નામ છે. શ્રીકૃષ્ણને આધીન આખું જગત છે. જ્યારે શ્રીકૃષ્ણ રાધાજીને આધીન છે. પરસ્પર તત્સુખ ભાવનો રસાસ્વાદ કરવા તેઓ નિત્ય પ્રેમલીલા કરે છે, વિહાર કરે છે અને એમાં જ લીન છે. મહાપ્રભુજીએ પોતાની વાણીમાં રાધાજીનું વર્ણન કરતાં તેને `રસરૂપ’ કહ્યું છે. રાધાજીનું નામ સંકીર્તન, સ્મરણ અને ધ્યાન જગતમાં વધી રહેલી કઠોળતા, નિર્દયતા સામેનું અમોઘ શસ્ત્ર છે. જે કઠોળતાને મૃદુતામાં, નિર્દયતાને સ્નેહમાં પરિવર્તિત કરે છે.

રાધાજીના સ્મરણમાત્રથી કળિયુગના જીવાત્માઓનો ઉદ્ધાર થાય છે. આજે પણ વૃંદાવનમાં શ્રીરાધેનું ખૂબ મહત્ત્વ છે. વહેલી સવારે દૂધવાળો દૂધ આપવા આવે ત્યારે મૈયા, રાધે! રાધે! બોલે છે. કોઇનેય ભૂલથી ધક્કો લાગી જાય તો ભૈયા, રાધે! રાધે! બોલે છે. વૃંદાવનની ગલી ગલીઓમાં ઝાડ, ઝાડ પર, પાન પર રાધાજીનાં અવશ્ય દર્શન થાય છે.

શ્રીરાધા આજીવન કૃષ્ણ વિયોગિની જ નથી રહ્યાં, ઉગ્ર તપસ્વિની અને દિવ્ય યોગિની રૂપે સંયમી જીવન જીવીને પ્રેમલક્ષણા ભક્તિની સાક્ષાત્ મૂર્તિ સ્વરૂપા છે. શ્રીરાધા અને શ્રીકૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે શ્રીરાધા-માધવ યુગ્મ સ્વરૂપ! આપણાં પુરાણોએ અને ધર્મગ્રંથોએ રાધાને ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ કહ્યાં છે. શ્રીરાધિકાજીના માનવ અવતારનું આધ્યાત્મિક અર્થઘટન અને મૂલ્યાંકન કરનાર અનેક સંતોએ પણ શ્રીકૃષ્ણના શ્રીરાધા સાથેના અદૈહિક સંબંધોને અત્યંત ઉચ્ચ કોટિના અને મહાભાવ સ્વરૂપા દર્શાવ્યા છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
ધર્મ

કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
નાડીનો અર્થ, મર્મ અને…
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
Health News : હાડકાંમાં થતો ભંયકર દુઃખાવો દૂર કરવા, રોજિંદા આહારમાં આ ખોરાકને કરો સામેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?