- ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને કર્યો સવાલ
- એપલ કંપનીએ સ્પષ્ટીકરણ આપવું જોઈએ: રવિશંકર પ્રસાદ
- Appleના એલર્ટને લઈને વિપક્ષી નેતાઓની હેકિંગની ફરિયાદ
દેશમાં હાલ ફોન હેકિંગ વિવાદને લઈને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ આરોપ લગાવ્યા છે કે તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો વિપક્ષના નેતાઓની ફરિયાદ સામે આવ્યા બાદ ભાજપે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના સિનિયર નેતા રવિશંકર પ્રસાદે આ મુદ્દે કહ્યું છે કે આ મામલે એપલ કંપનીએ સ્પષ્ટીકરણ આપવું જોઈએ.
તો, બુધવારે, ભાજપના સાંસદ અને નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાહુલ ગાંધી હોમવર્ક કર્યા વગર જ સવાલો કરે છે. રાહુલ ગાંધીને કોઈ ચિઠ્ઠી પકડાવી દે છે અને તેઓ તેના પર બોલવા લાગે છે. તેની સાથે જ તેમણે કહ્યું કે એપલએ 150 દેશોમાં સૂચનના માધ્યમથી ફોન ટ્રેસ અંગે જણાવ્યું છે તો રાહુલ ગાંધીને પણ આ સૂચના મળી છે તો તેઓ કેમ પરેશાન થાય છે. જો તેઓ ઈચ્છે તો FIR દાખલ કરાવી શકે છે.
ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું કે જીરે પેગાસસ મામલો સામે આવ્યો તો રાહુલ ગાંધીએ પણ અવાજ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી અને લોકોને પૂછ્યું હતું કે શું પેગાસસ તેમના ફોનમાં છે ? તો તેઓ તેમનો ફોન જમા કરાવી દે. ત્યારે તેમનામાં હિંમત નહોતી.
રાવશંકર પ્રસાદે આ મામલે વધુમાં કહ્યું કે એપલ કંપનીએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ, જ્યારે તેમણે ફરિયાદીઓને સલાહ આપી છે કે તેઓ આ મામલે FIR દાખલ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે શશિ થરૂર, પ્રિયંકા ચતુર્વેદી, રાઘવ ચઢ્ઢા, મહુઆ મોઇત્રા અને અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ Apple તરફથી મળેલા એલર્ટના આધારે દાવો કર્યો હતો કે મોદી સરકાર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.