પોરબંદર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારે વેગ પકડયો છે. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડો.મનસુખભાઇ માંડવીયાના ટેકામાં સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રાજકોટના સાંસદ તથા જુદા-જુદા અગ્રણીઓ પ્રવાસમાં સાથે જોડાયા હતાં.
જેમાં પૂર્વ ધારાસભ્ય કે.ડી.ઓડેદરા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, , પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા,, પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, પોરબંદર પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઇ કોઠારી, પોરબંદર માર્કેટીંગ યાર્ડ પ્રમુખ લખમણભાઇ ઓડેદરા, કરશનભાઇ ઓડેદરા, નિલેશભાઇ મોરી સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.
રામભાઇ મોકરીયાએ એક જાહેર બેઠકમાં અપીલ કરી હતી કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના લક્ષ્યાંક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધાર મુજબ ગુજરાતની તમામ ૨૬ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાંચ લાખથી વધુ મતોની લીડથી વિજય મેળવશે. પોરબંદર પંથકમાં વિક્રમી લીડ ભણી ડો.માંડવીયા આગળ ધપી રહ્યા છે. લોકોનો ઉત્સાહ જોતા આ વખતે પોરબંદર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારને બમ્પર મત મળશે.