- દેશભરમાં 35 કરોડ મત મેળવવાનો ધ્યેય
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કામગીરી
- વોટ શેરિંગ વધારવા પર બહાર મૂકશે ભાજપ
આગામી વર્ષની લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે શુક્રવારે શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક આજે પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક દિલ્હીમાં પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીની તૈયારી કરવા અને મિશન 2024 માટે કમર કસવા આહ્વાન કર્યું હતું.
દેશભરમાં 35 કરોડ મત મેળવવાનો ધ્યેય
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોને પાર્ટી સાથે જોડવા માટે દેશભરમાં અભિયાન ચલાવશે. વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં દેશભરના યુવાનોને સંબોધિત કરશે. ભાજપે લોકસભા ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અંતર્ગત વિવિધ યોજનાઓના સાત કરોડ લાભાર્થીઓ સુધી પહોંચવાની વ્યૂહરચના બનાવવામાં આવી છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કામગીરી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે તમામ ભાજપના કાર્યકરો પોતપોતાના વિસ્તારના મંદિરોમાં પૂજા અને જીવંત પ્રસારણની વ્યવસ્થા કરશે. 22 જાન્યુઆરી પછી દરેક રાજ્યમાંથી લોકોને ભગવાન રામના દર્શન કરવા માટે ટ્રેન દ્વારા અયોધ્યા લઈ જવામાં આવશે. પાર્ટીના કાર્યકર્તાઓને રામ મંદિર સાથે જોડાયેલી માહિતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુમાં વધુ શેર કરવા અને લોકો સાથે ચર્ચા કરવા કહેવામાં આવ્યું છે. ભાજપે કાર્યકરોને બૂથ સ્તરે દરેક મતદાતાના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓએ પોત-પોતાના બૂથના મતદારોના ઘરે જઈને તેમને મળે. લોકોને ભારતની વધતી વૈશ્વિક શક્તિ અને યોજનાઓ વિશે જણાવો.
વોટ શેરિંગ વધારવા પર બહાર મૂકશે ભાજપ
ભાજપની નજર 2024ની લોકસભા ચૂંટણીમાં ‘વિશાળ’ જીત હાંસલ કરવા પર છે અને તેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ શેરિંગ 10 ટકા વધારવા માટે કામ કરવા કહ્યું છે. બેઠકના સમાપન દિવસે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ ‘સ્તબ્ધ’ થઈ જાય.


