- બ્રાઝિલની ટેક્નોલોજીથી થશે ફાયદો
- ભારતની ઈંધણ નિર્ભરતા ઘટશે
- ક્રૂડ ઓઈલનું બિલ ઘટતાં ભાવમાં જોવાશે ફેર
ભારત ટૂંક સમયમાં બ્રાઝિલ પાસેથી તેની ઇથેનોલ ઉત્પાદન ટેકનોલોજી હસ્તગત કરશે, જેનાથી અન્ય દેશો પર ભારતની ઇંધણ નિર્ભરતા ઘણી હદ સુધી ઘટશે. હકીકતે બ્રાઝિલે તેની ઇથેનોલ ઉત્પાદન ટેકનોલોજી ભારત સાથે શેર કરવાની ઓફર કરી છે. બ્રાઝિલના કૃષિ અને પશુધન મંત્રી કાર્લોસ ફાવારોએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બ્રાઝિલે ભારત સાથે ટેક્નોલોજી શેર કરવાનું વિચારે છે. આવી સ્થિતિમાં ભારત આવનારા સમયમાં ઇથેનોલ ઉત્પાદક દેશ તરીકે ઓળખાશે અને તેની આ પહેલથી વિદેશથી આયાત થતું ક્રૂડ ઓઈલનું પ્રમાણ ઘટાડી શકાશે.
ઈથેનોલ ટેક્નોલોજી ભારતને આપશે
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું કે બ્રાઝિલે ખાંડ સંબંધિત વેપાર વિવાદને પરસ્પર ઉકેલવા માટે વિશ્વ વેપાર સંગઠનમાં વાતચીત શરૂ કરી. આ માટે બ્રાઝિલે તેની ઇથેનોલ ઉત્પાદન ટેકનોલોજી ભારત સાથે શેર કરવાની ઓફર કરી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બ્રાઝિલે ભારતને ખાંડના વધારાના ઉત્પાદનનો ઉપયોગ કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાઝિલ માટે સ્પર્ધા ઘટાડવા માટે ઇથેનોલ ટેક્નોલોજી ઓફર કરી છે. મહત્વનું છે કે ભારતે તેના પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જેનાથી ઘરઆંગણે ઈથેનોલનું ઉત્પાદન વધતા બે ફાયદા થશે. એક તો એટલા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની વિદેશોથી આયાત ઘટી જશે જેથી ભારતનું ફોરેક્સ રિઝર્વ બચશે અને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પણ ફેર દેખાશે. બીજું વેચાણ થતા પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાથી પેટ્રોલની લાગુ પડતી કિંમતમાં પણ ઘટાડો જોવાશે જેથી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સામાન્ય માણસને રાહત મળી શકે છે.
બ્રાઝિલ ઇથેનોલ ઉત્પાદનમાં મોખરે છે
તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં શેરડીમાંથી ઈથેનોલ બનાવવામાં આવે છે અને બ્રાઝિલ આ ટેક્નોલોજીમાં ઘણું આગળ છે. આવી સ્થિતિમાં ભારત પણ બ્રાઝિલ પાસેથી ઇથેનોલ ઉત્પાદન ટેકનોલોજી મેળવીને આત્મનિર્ભર બનશે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદક દેશ છે. આ પછી શેરડીના ઉત્પાદનમાં ભારત આગળ આવે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે. એક તરફ, બ્રાઝિલે 2022 માં લગભગ $11 બિલિયનની ખાંડની નિકાસ કરી હતી. જ્યારે ભારતે લગભગ 5.7 અબજ ડોલરની ખાંડની નિકાસ કરી હતી.
ભારતને ઘણો ફાયદો થશે
આવી સ્થિતિમાં બ્રાઝિલના આ પ્રસ્તાવથી ભારતને ઘણો ફાયદો થઈ શકે છે. વાસ્તવમાં, ભારતનો ઉદ્દેશ્ય પેટ્રોલિયમ ઓટો ઇંધણમાં ઇથેનોલ મિશ્રણની ટકાવારીમાં ધીમે ધીમે વધારો કરવાનો અને આયાતી કાચા તેલ પર નિર્ભરતા ઘટાડવાનો છે. આવી સ્થિતિમાં ઇથેનોલ ઉત્પાદન ટેકનોલોજી ભારત માટે અસરકારક સાબિત થશે.
20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક
બ્રાઝિલ પાસે ફ્લેક્સ ટેક્નોલોજી છે. આવી સ્થિતિમાં તેઓ ઇથેનોલ મિક્સ કરે છે. બ્રાઝિલે કહ્યું છે કે ભારત તેની વધારાની ખાંડનો ઉપયોગ ઇથેનોલ ઉત્પાદન માટે કરી શકે છે અને તેના દ્વારા ભારત તેની ઇંધણની જરૂરિયાતો પૂરી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત તેની તેલની 85 ટકા જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. આ સાથે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. તે જાણીતું છે કે અમેરિકા અને બ્રાઝિલ મળીને વિશ્વના કુલ ઇથેનોલ ઉત્પાદનના 84 ટકા ઉત્પાદન કરે છે. જોકે ભારતમાં ઇથેનોલ બનાવવા માટે પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે, તેથી દેશમાં ઇથેનોલનો વિપુલ જથ્થો મેળવી શકાય છે.


