- NEET પેપર લીક કૌભાંડ મામલે CBI કોર્ટની ફટકાર
- આરીફ નૂર મોહમ્મદ વોરા, પરષોત્તમ શર્માના રિમાન્ડ મંજૂર
- વિભોર આનંદ,ઉમેશ્વર પ્રસાદસિંઘ, તુષાર ભટ્ટના રિમાન્ડ મંજૂર
NEET પેપર લીક કૌભાંડ મામલે CBI કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરીફ નૂર મોહમ્મદ વોરા, પરષોત્તમ શર્માના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. વિભોર આનંદ,ઉમેશ્વર પ્રસાદસિંઘ, તુષાર ભટ્ટના પણ રિમાન્ડ મંજૂર મંજૂર કર્યા છે. સમગ્ર મામલે શરુઆતમાં કેસની તપાસ સ્થાનિક પોલીસે કરી હતી.
મળતી માહિતી મુજબ, ગોધરામાં 8મી મે 2024ના રોજ નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ફરિયાદ દાખલ થઈ હતી. જેને લઇ CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CBIએ વડોદરા, ખેડા, ગોધરા, અમદાવાદ સહિત 7 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 4 આરોપીને CBIએ ધરપકડ કરી હતી.
આ કેસની તપાસ શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જે બાદ સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. CBIએ વડોદરા, ખેડા, ગોધરા, અમદાવાદ સહિત સાતથી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું આખરે 4 આરોપી ઝડપાતા CBI કોર્ટે 4 આરોપીને 2જુલાઈ સુધીના રિમાન્ડ કર્યા મંજુર છે. આરોપી આરીફ નૂર મોહમ્મદ વોરા, પરસોતમ શર્મા, વિભોર આનંદ ઉમેશ્વરપ્રસાદ સિંઘ, તૃષાર ભટ્ટ રિમાન્ડ મંજૂર કર્યા છે.


