- ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં ફૂંકાયું વાવાઝોડું
- મીની વાવાઝોડાના ભયાનક સીસીટીવી આવ્યા સામે
- ભારે પવન ફૂંકાતા શેડના પતરા ઉડયા
ગુજરાતમાં એક તરફ ગરમીનો માહોલ છે અને તેની વચ્ચે ગઈકાલે ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો હતો,કયાંક વાવઝોડું તો કયાંક ધૂળની ડમરીઓથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો,જૂનાગઢના ઈન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં વાવાઝોડુ ફૂંકાતા શેડ પર લાગેલા પતરા ઉડયા હતા,તો પતરા ઉડીને બે વ્યકિતઓ પર પડયા હતા,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.
વાવઝોડાથી કેરીના પાકનુ ખરણ વધ્યું
છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ડીસેમ્બરમાં આંબાવાડીઓમાં આમ્ર મંજરી આવતી હતી, પણ ગરમીને કારણે ઋતુચક્ર પર થયેલી અસરથી બે ત્રણ વર્ષોમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં મોર ફૂટી રહ્યા છે. જેની સાથે જ માર્ચમાં ગરમીઓ પારો ઉંચો રહેવાથી કેરીમાં જે અંકુરણ થવુ જોઈએ એને પણ અસર થાય છે. જેની સાથે જ મોરવા ગરમી સહન ન કરી શકતા, ખરણ પણ વધ્યુ હતુ.
એક મહિના અગાઉ અરવલ્લીમાં મકાનોને નુકસાન
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ એકાએક પલટાયું હતું. જેમાં અરવલ્લીના ભિલોડાના સુનસરમાં મીની વાવાઝોડુ ત્રાટક્યું હતું. ભારે પવન બાદ ભારે નુકસાની સામે આવી હતી. કાચા મકાનોના પતરા ઉડયા હતા. તો ત્રણ રહીશોના મકાનોને ભારે નુકસાની સામે આવી હતી. મકાનની છત ઉડી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો હતો.

આ વર્ષે માત્ર 30થી 50% કેરીનું ઉત્પાદન
આ તરફ નવસારી જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ માસના બીજા તબક્કામાં કેરી માર્કેટમાં ઠલવવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આ વર્ષે માત્ર 30થી 50% કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. એવામાં ગઈકાલે નવસારી જિલ્લાના વાંસદામાં વરસેલા માવઠાને કારણે કેરીના પાકનો સોથ વળી ગયો છે.


