- ચાડ દેશની રાજધાની એનજમીનામાં સૈન્ય શસ્ત્રાગારમાં પ્રચંડ વિસ્ફોટ
- ઈજાગ્રસ્તોની સારવાર માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
- સૈન્ય શસ્ત્રાગારમાં વિસ્ફોટ અને આગનું કારણ અકબંધ
ચાડ દેશની રાજધાની એનજમીનામાં ભીષણ વિસ્ફોટ થવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અહીં એક સૈન્ય શસ્ત્રાગારમાં વિસ્ફોટ થવાથી નવ લોકોનાં મોત થયા છે. જ્યારે 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ પથી 46 લોકોની સારવાર કરાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે વિસ્ફોટમાં મંગળવારે રાત્રે શરૂ થયો અને 30 મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો. જેમાં આસપાસની ઈમારતો પણ ધ્રૂજી ઉઠી હતી.
ચાડની રાજધાનીમાં લશ્કરી દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ અને આગમાં ઘણા લોકો માર્યા ગયા, અધિકારીઓ અને સાક્ષીઓએ બુધવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આગ કાબૂ કરવાની અને ઈજાગ્રસ્તોની સારવાર માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ આફ્રિકાના દેશમાં દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટનો પ્રકાશ આકાશમાં દૂર સુધી જોવા મળ્યો હતો અને તે પછી આસપાસના વિસ્તારોમાં ધૂમાડાના ગાઢ વાદળો ફેલાઈ ગયા હતા. એક સરકારી અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિસ્ફોટને કારણે લાગેલી આગમાં “જીવન અને સંપત્તિનું મોટું નુકસાન” થયું છે.
વિસ્ફોટનું કારણ અકબંધ
મળતી માહિતી અનુસાર, શસ્ત્રાગારમાં વિસ્ફોટ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સરકારી અધિકારીએ પીડિતોની આત્માઓને શાંતિ મળે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના. કરી હતી. જોકે, તેમણે મૃતકોની સંખ્યા અંગે કોઈ વિગતો આપી ન હતી. મંગળવારે મોડી રાત્રે ડેપોમાં વિસ્ફોટોનું કારણ અસ્પષ્ટ રહ્યું અને પ્રમુખે કહ્યું કે તેની તપાસ કરવામાં આવશે. મળતી વિગતો અનુસાર, વિસ્તારમાં સુરક્ષા અને આરોગ્ય અધિકારીઓની તૈનાતી સાથે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. તેમણે સ્થાનિક રહેવાસીઓને શાંતિ જાળવવા વિનંતી કરી છે.


