By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૈતન્ય એ જીવન છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ચૈતન્ય એ જીવન છે

agragujaratnews
Last updated: 2023/11/09 at 3:50 AM
2 years ago
Share
ચૈતન્ય એ જીવન છે
SHARE

  • મૂર્છા એ જીવન નથી

પરાધીનતા એ જીવનનો પરિચય નથી. હા, કોઈ સદ્ગુરુના આશ્રયે રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. માના ખોળામાં રમતું બાળક આમ પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે

આજીવન બહુ સુંદર છે, પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું, તમે જીવનનો અર્થ શું કરો છો? જીવન એટલે શું? લાઈફ શું છે? શું અર્થ કરો છો તમે જીવનનો? બે હાથ, બે પગ, નાક, કાન, વિચાર, હૃદય, રક્તકણ, શ્વેતકણ, હાડકાં, માંસ-આ બધું એટલે જીવન? જીવનનો અર્થ શું છે? ખાવું-પીવું, સૂઈ જવું, ભોગ ભોગવવા? આહાર, નિદ્રા, ભય, મૈથુન-એ તો સામાન્યમાં સામાન્ય પશુઓ પણ કરે છે. તો ખરેખર જીવન એટલે શું? પશ્ચિમે જીવનનો વિચાર બહુ ટૂંકો કર્યો. પૂર્વની સભ્યતાએ જીવનનો વિચાર બહુ જ અનુભૂત કર્યો. તુલસીદાસજી એક પ્રશ્ન ઉઠાવે છે.

એહિ તન કર ફલ બિષય ન ભાઈ,

સ્વર્ગઉ સ્વલ્પ અંત દુ:ખદાઈ.

આ શરીરનું ફળ વિષય નથી. એનો અર્થ વિષયનો નિષેધ નથી, પણ શરીરનું ફળ કેવળ વિષય નથી. તુલસીદાસજી કહે છે, શરીરનાં બે ફળ છે, એક નિર્વાણ અને બીજો પ્રેમ અથવા તો આ બે ફળ બતાવ્યાં મારા તુલસીએ-એક તો મુક્તિ અને બીજી ભક્તિ. જેને ભક્તિ જોઈતી હોય અથવા તો જેને નિર્વાણ જોઈતું હોય. જેને જે માફક આવે એ.

તો, જીવનનો અર્થ તમે શું કરો છો? લોકો એમ કહે છે કે દશ લાખ રૂપિયા થઈ જાય ને પછી ફિક્સ ડિપોઝિટ થઈ જાય એટલે ધન્ય! આ ધન્યતા છે? દશ લાખ થાય એ સારી વસ્તુ છે. તમારી સુવિધા વધે એ વ્યાસપીઠ કેમ ન ઇચ્છે? પણ તોય એ ઓડકાર તો નથી! તો કૃતકૃત્ય કોને કહેવાય? ઓડકાર ક્યાં આવે છે? મને જે સમજાયું તે આપને કહું છું. જીવન ક્યારે મળે? જનમ તો મળ્યો છે, મૃત્યુ પણ મળશે. આ બેની વચ્ચે ક્યાંક ક્યાંક જીવન અર્જિત કરવાનું હોય છે. આ જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં જીવન મેળવવાનું હોય છે. એમાં કોઈકોઈ જીવન મેળવી ગયા, બાકી કેટલાય એમ જ જતા રહ્યા! આવી વાતો કરીને હું નિરાશા ફેલાવવા પણ નથી માગતો, પણ વિચાર માટે નિમંત્રણ આપું છું જરૂર. જીવન એટલે શું? પરણી લીધું એ જીવન? પરણવું જોઈએ, ઠીક છે. છોકરાઓનાં લગ્ન કરી નાખ્યાં એ જીવન? ધંધો વધી ગયો એ જીવન? જીવનનો અર્થ શું? તમે પણ વિચારજો. આ પરામર્શ છે તમારી સાથે. મને જે સમજાયું એ તમને કહું છું.

પહેલું, જીવન એને કહેવાય, જે જીવનમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે. જ્યાં સુધી કંઈ ને કંઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ જીવન નથી. હવે આ સૂત્ર જરા મુશ્કેલ લાગશે, કારણ કે અભાવ તો બધાંનાં જીવનમાં છે જ. શરીર સારું છે, તો પત્નીની સાથે મનમેળ નથી! પત્ની બરાબર છે, તો બાળક નથી! બાળક છે, તો બીમાર રહે છે! બાળક બરાબર છે ને ઘરમાં બધું બરાબર છે, તો ઘરમાં પૈસા નથી! પૈસા છે, તો પ્રતિષ્ઠા નથી! પ્રતિષ્ઠા છે, તો કોઈના ઉપર પ્રેમ નથી! આવી બધી કંઈક ને કંઈક ખામીઓ તો રહે છે આપણા જીવનમાં! તો અભાવો તો છે જ! જીવનમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે એના માટે તો આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે મારે આ જગત પાસેથી કંઈ જોઈતું નથી. જ્યાં સુધી અપેક્ષાઓ છે, ત્યાં સુધી અભાવ રહેવાનો. હું જાણું છું, આ વાતો કરવી સહેલી છે, પણ વિચારવું તો રહ્યું જ.

બીજું, જ્યાં પરાધીનતા ન હોય એનું નામ જીવન, કારણ કે તુલસી લખે છે –

પરાધીન સપનેહુ સુખ નાહી.

પરાધીનતા એ જીવનનો પરિચય નથી. હા, કોઈ સદ્ગુરુના આશ્રયે રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. માના ખોળામાં રમતું બાળક આમ પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે. ટ્રેનના ડબ્બામાં બેસો તો તમે પરાધીન નથી? પરાધીન છો, પણ એ ડબ્બો જ તમને મુંબઈ પહોંચાડી દે છે! જે જીવમાં પરાધીનતા છે એ એના જીવનનો પરિચય નથી. એનો અર્થ સ્વચ્છંદીપણાનો અહીં સ્વીકાર નથી, કારણ કે જીવનો મૂળ સ્વભાવ સ્વતંત્ર રહેવાનો છે. એને ધર્માંતર શું કામ કરાવીએ છીએ આપણે? માયાને લીધે જીવ પરતંત્ર થયો એ એનાં દુર્ભાગ્ય! પરાધીનતા ન હોય એનો અર્થ એમ ન કરશો કે પત્ની પતિને આધીન ન હોય, પતિ પત્નીને આધીન ન હોય! એ અર્થમાં આ વાત નથી. એક જુદા જ અર્થમાં હું કહી રહ્યો છું. તો જ્યાં અભાવો નથી રહ્યા અને જ્યાં પરાધીનતા નથી રહી, એ જીવનનો પરિચય છે.

ત્રીજું, જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એનું નામ જીવન. મૂર્છા એ જીવન નથી, ચૈતન્ય એ જીવન છે. જ્યાં નિરંતર જાગૃતિ છે, એનું નામ જીવન કહેવાય. ચોથું, જેના જીવનમાં નીરસતા નથી, એનું નામ જીવન છે. હવે આ ભારેખમ શબ્દો કહીને માણસ નિરાશ થઈ જાય, નીરસ થઈ જાય, તો એ પાછું જીવન ચૂક્યો! જેના જીવનમાં નીરસતા નથી, એનું જીવન જીવન કહેવાય. માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ એ જીવન માટે બહુ જરૂરી છે. આમ તો સાહિત્યના આટલા રસ છે. ભોજનના ખટરસ છે, એમ ચાર રસ અધ્યાત્મજગતના છે. એક રસનું નામ છે ભોગરસ. જે નિરંતર ઘટે છે, વધતો નથી, એનું નામ છે ભોગરસ. બીજો છે શાંતરસ. શાંતરસમાં સામર્થ્ય બહુ છે; એમાં તાકાત બહુ છે. ત્રીજો છે ભાવરસ. ભાવરસ ક્યારેક કોઈના જીવનમાં અખંડ હોઈ શકે, પણ અનંત નથી. એનોય ક્યારેક અંત આવે છે. અધ્યાત્મજગતનો છેલ્લો અને ચોથો રસ છે પ્રેમરસ. એ અખંડ પણ છે અને અનંત પણ છે. એ પ્રતિક્ષણ વર્ધમાન છે. એ વધે જ, ઘટે નહીં.

તો જીવનમાં રસિકતા હોવી જોઈએ, નીરસતા હોય એ જીવન નથી. નીરસતા એ મારી સમજમાં જીવનનો પરિચય નથી. શું કામ નીરસ રહેવું? એનો અર્થ હું એમ પણ નથી કહેતો કે ભોગરસ ને એવા રસોમાં માણસ ડૂબેલો રહે. એમ નહીં, પણ માણસ આત્માને જે ગમે છે એટલા પૂરતો તો રસિક હોવો જોઈએ. તમે સંગીત ન માણી શકો, તમે સાહિત્ય ન માણી શકો, તમે નૃત્ય ન માણી શકો, તમે ગીતને ન સમજી શકો તો પછી એ જીવન કેવું? અધ્યાત્મ નીરસ રહેવાનું ન શીખવે. જીવનમાં રસ ન હોય, જીવનમાં આનંદ ન હોય, જીવનમાં પ્રસન્નતા ન હોય તો જીવતર નકામું છે. કૃષ્ણ જેવી છે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ? એ બ્રહ્મ છે. પૂર્ણ અવતાર છે. એના જીવનની રસિકતા જુઓ! રામ પણ ઓછા રસિક છે? શંકરનું તો કહેવું જ શું! નીરસતા એ જીવનનો પરિચય નથી. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, રસમય જીવો.

આગળનું સૂત્ર, જીવન પ્રેમપૂર્ણ હોવું જોઈએ. અહીં રસ અને પ્રેમ જુદા પડે છે. આ એ પ્રેમની હું વાત કરું છું –

રામહિ કેવલ પ્રેમ પિઆરા,

જાનિ લેઉ જો જાનનિહારા.

આવું પ્રેમપૂર્ણ જીવન એ જીવનનો પરિચય છે. તો મૂર્છા વગરનું જીવન, ચૈતન્યથી ભરેલું જીવન, ત્યાગ-સમર્પણ અને વિચારોથી ભરેલું એવું જીવન એ જ સાચું જીવન છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 3 days ago
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?