- રાજ્યમાં ચાંદીપુરાના કુલ 151 શંકાસ્પદ કેસ
- શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ
- ચાંદીપુરાના કારણે રાજ્યમાં 65 મોત થયા
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થયો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 151 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 65 મોત થયા છે. હોસ્પિટલમાં 25 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 61 દર્દીઓ સાજા થયા છે.
ક્યા શહેરમાં ચાંદીપુરાના કેટલા કેસ?
રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 137 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠા 16, અરવલ્લી 7, મહીસાગર 3, ખેડા 7, મહેસાણા 9, રાજકોટ 7, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-8, પંચમહાલ-16, જામનગર-6, મોરબી-6, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 4, વડોદરા 7, નર્મદા 2, બનાસકાંઠા 6, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 5, સુરત કોર્પોરશન 2, ભરૂચ 4, અમદાવાદ 2 તેમજ જામનગર કોર્પોરેશન 1, પોરબાંદર અને પાટણમાં 1-1, તેમજ ગીર સોમનાથમાં 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો
- રાજ્યમાં ચાંદીપુરાના કુલ 151 શંકાસ્પદ કેસ
- સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ
- શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ
- ચાંદીપુરાના કારણે રાજ્યમાં 65 મોત થયા
- હોસ્પિટલમાં 25 દર્દીઓ હાલ સારવાર હેઠળ
- રાજ્યમાં અત્યાર સુધી 61 દર્દીઓ સાજા થયા
શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ
સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 2, ખેડા 4, મહેસાણા 5, રાજકોટ 3, સુરેન્દ્રનગર 3, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 2, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશનમાં 2 રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે. કચ્છ જિલ્લામાંથી 4 કેસ, ભરૂચ 1, અમદાવાદ 1, પોરબાંદર 1 તેમજ પાટણમાં 1 કેસ નોંધાયો છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-57 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 25 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 61 દર્દીઓને રજા આપવામાં આવી છે.


