- સરદાર પટેલની જન્મ જયંતીની નીમિત્તે કેન્દ્ર સરકારનું આયોજન
- ‘Meri Maati Mera Desh’ અભિયાનના સમાપનમાં સામેલ થાય કૈલાશ ખેર
- મંત્રીઓ અધિકારીઓ કર્તવ્યપથ પર પોતાની ફરજ બજાવે છે: સિંગર
આજે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ‘મારી માટી મારો દેશ અભિયાન’ના સમાપનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાપન કાર્યક્રમમાં આજે સિંગર કૈલાશ ખેર પણ સામેલ થયા હતા. આ તકે કૈલાશ ખેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવેલા આ અભિયાનની પ્રશંસા કરતાં મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં દેશનું વધતું સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભારી છે.
સિંગર કૈલાશ ખેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે આજે વિશ્વમાં બદલાતા ભારતની તસવીર જોવા મળી રહી છે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સશક્ત કર્મઠ અને સમર્પિત ટીમને આભારી છે. તેમની આ ટીમમાં મંત્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ બધા જ છે. આ તમામ સંપૂર્ણ સમર્પણભાવથી કર્તવ્યપથ પર પોતપોતાનું કર્તવ્ય નિભાવીને આ કામ કરી રહ્યા છે. પહેલા તો માત્ર મનોરંજન માટે અમુક વસ્તુઓ યોજાતી હતી હવે સમર્પણ ભાવ સાથે થાય છે.