- મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં ડમ્પરે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી
- આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા,ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
- અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ ઓટોમાં બેઠેલા લોકો બહાર ફંગોળાઇ ગયા
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં એક ઝડપી ડમ્પરે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો શહેરના કોતવાલી વિસ્તારના કપસેઠી અમનપુર નેશનલ હાઈવેનો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડમ્પર તેજ ગતિએ આવી રહ્યું હતું અને સામેથી આવી રહેલી ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે ઓટોનો આગળનો આખો ભાગ નાશ પામ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ ઓટોમાં બેઠેલા લોકો બહાર ફંગોળાઇ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું હતું.
સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું
સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માતમાં નીચે પડી ગયેલી ઓટોરિક્ષામાંથી ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલી રહી છે. અન્ય એમ્બ્યુલન્સમાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ઓટો ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી
ઓટોરિક્ષા સાથે અથડાયા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. આ અકસ્માત કારવી કોતવાલી વિસ્તારના અમનપુરમાં થયો હતો. ઓટો ચિત્રકૂટ રેલવે સ્ટેશનથી રામઘાટ જઈ રહી હતી, જેમાં 9 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ઓટોએ આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સામેથી આવતા ડમ્પરે તેને ટક્કર મારી.
અકસ્માત બાદ ડ્રાઈવર ડમ્પર છોડીને ભાગી ગયો
કારવીના ઈન્ચાર્જ ઉપેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે અકસ્માત બાદ ડ્રાઈવર ડમ્પર છોડીને ભાગી ગયો. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચેય મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


