- ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પશુ તસ્કરોનો નાકામ પ્રયાસ
- BSF જવાનો અને બાંગ્લાદેશથી 25થી વધુ તસ્કરો સાથે થઇ અથડામાણ
- સમગ્ર ઘટનાને પગલે BSF જવાનોએ એક બાંગ્લાદેશી શખ્સને ઠાર કર્યો
BSF જવાનોએ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર પશુઓની દાણચોરીની મોટી કાર્યવાહીને નિષ્ફળ બનાવી છે. પશુ દાણચોરો ભારતમાંથી પ્રાણીઓને બાંગ્લાદેશ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે સૈનિકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તસ્કરોએ સૈનિક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સૈનિકે સમય સૂચકતાના આધારે પોતાનો જીવ બચાવ્યો અને સ્વબચાવમાં ગોળીબાર કર્યો, એક તસ્કરોને ઠાર માર્યો છે. મૃતક તસ્કરની બાંગ્લાદેશી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તા DIG એકે આર્યએ જણાવ્યું હતું કે દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળની BSFની 159 બટાલિયનની બોર્ડર પોસ્ટ ઇટાઘાટીના સૈનિકોને પ્રાથમિક માહિતી મળી હતી કે, કેટલાક તસ્કરો ભારતમાંથી બાંગ્લાદેશમાં પશુઓની તસકરી કરી રહ્યા છે. માહિતીના આધેરે BSFએ 2 એપ્રિલની રાત્રે, લગભગ 10 વાગ્યે ACP ફરજ પરના કર્મચારીઓ તેમના પેટ્રોલિંગ વિસ્તારમાં હતા. તે દરમિયાન અચાનક તેણે ભારત તરફના બોર્ડર રોડ પર 6 થી 7 પશુ સાથે લગભગ 8-10 પશુઓના દાણચોરોની શંકાસ્પદ શખ્સોની હરકત જોઇ હતી. તેમની પાસે લાકડીઓ અને ધારદાર હથિયારો અને તલવારો હતા.
ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પશુ તસ્કરોનો નાકામ પ્રયાસ
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તા DIG એકે આર્યએ કહ્યું કે શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈને સૈનિક તસ્કરો સામે દોડ્યો અને તેમને રોકવાનો પડકાર ફેંક્યો. પશુ તસ્કરો રોકવાને બદલે આક્રમક રીતે જવાન તરફ આગળ વધ્યા હતા. તે જ સમયે બાંગ્લાદેશથી 20 થી 25 દાણચોરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જવાનને તેના ચહેરા અને આંખો પર લાઇટ લગાવીને અંધ અને બિનઅસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરો જવાનો તરફ આગળ વધવા લાગ્યા, ફરીથી તેમને રોકવાની ચેતવણી આપી પરંતુ તેઓ રોકાયા નહીં. સૈનિકે હવામાં ત્રણ રાઉન્ડ અને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ તસ્કરોએ સૈનિકને ઘેરવાનું ચાલુ રાખ્યું અને તસ્કરો સૈનિકની ખૂબ નજીક આવી ગયા.
મૃતક તસ્કરની બાંગ્લાદેશી હોવાની પ્રાથમિક વિગત મળી
આર્યએ કહ્યું કે જવાનોએ પોતાનો જીવ જોખમમાં છે અને બીજો કોઈ વિકલ્પ ન મળતાં, સૈનિકે સ્વબચાવમાં ફરીથી તસ્કરો પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અંધારાનો લાભ લઈને તસ્કરો પશુઓને છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી ગયા હતા. દરમિયાન અન્ય પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આ વિસ્તારમાં તપાસ કરવામાં આવી ત્યારે એક તસ્કર મૃત હાલતમાં મળી આવ્યો હતો. સૈનિકોએ ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરી અને ઘટના સ્થળેથી છ ઢોર, એક ટોર્ચ, એક મોબાઈલ ફોન, બે ધારદાર છરીઓ અને એક લાકડી પણ મળી આવી. સૂત્રો પાસેથી મળેલા સમાચારમાં જાણવા મળ્યું છે કે મૃત બાંગ્લાદેશી પશુ દાણચોરીની ઓળખ શૈફુલ જિલ્લામાંથી થઈ છે.


