ભાવનગર મનપા દ્વારા ૨3 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
ભાવનગર-બોટાદમાં CMની ઉપસ્થિતિમાં રૂ.૧૫૬ કરોડથી વધુ વિકાસકામોની ભેટ
દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરાશે
અગ્ર ગુજરાત, ભાવનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ સરદારનગર ઓડિટોરિયમ ખાતે મહાનગરપાલિકાના રૂ.156 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. ત્યારેબાદ બપોરે 4 આસપાસએ જવાહર મેદાન ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ભાવનગર-બોટાદ જિલ્લાના 2700 જેટલા દિવ્યાંગ મિત્રોને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાય પૂરી પાડવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આશરે રૂ.156.01 કરોડના કુલ 23 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જેમાં રૂ.150.45 કરોડના ખર્ચે 20 કામોના ખાતમુહૂર્ત અને રૂ.5.56 કરોડના 3 કામોના લોકાર્પણનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ્સ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’, ‘અમૃત 2.0’ અને ‘SBM 2.0’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ હેઠળ સાકાર થઈ રહ્યા છે,
ભાવનગરની ઐતિહાસિક ઓળખને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે જોડીને શહેરને વધુ જીવંત અને સુવિધાયુક્ત બનાવવાની દિશામાં મહાનગરપાલિકા દ્વારા 23 જેટલા કામો ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અને ‘અમૃત 2.0’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી શહેરના છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે નવા ઈ.એસ.આર. (ટાંકી) અને પાઈપલાઈન નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી અકવાડા, રુવા અને અધેવાડા જેવા વિસ્તારોમાં પાણીનો પુરવઠો વધુ નિયમિત અને દબાણયુક્ત બનશે, ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે અંડરબ્રિજ, ફોર-લેન પેવર રોડ અને સિદસર વિસ્તારને જોડતા અત્યાધુનિક પી.ક્યુ.સી. રોડનું આયોજન શહેરની પરિવહન વ્યવસ્થાને વેગ આપશે, પર્યાવરણની સુરક્ષા માટે C&D વેસ્ટ પ્લાન્ટ અને સામાજિક વિકાસ માટે કમ્યુનિટી હોલ, ફૂડ પાર્ક તથા ફ્લાય ઓવર નીચે સ્પોર્ટ્સ એરિયા જેવા પ્રોજેક્ટ્સ ભાવનગરની સુંદરતામાં વધારો કરશે, આ વિકાસલક્ષી કાર્યો ભાવનગરને રહેવા માટે એક ઉત્તમ, સ્વચ્છ અને સ્માર્ટ શહેર બનાવવાની દિશામાં આગળ વધશે,.
મુખ્યમંત્રીના હસ્તે વિવિધ સહાયક સાધનોનું વિતરણ
ભારત સરકારના ADIP યોજના અંતર્ગત એલ્મિકો દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાં એસેસમેન્ટ કેમ્પોનું આયોજન કરી 2700 જેટલાં દિવ્યાંગજનોને 19 જેટલાં સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, આ તમામ લાભાર્થીઓ આવી યોજનાનો પૂરતો લાભ લઈ શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 825 દિવ્યાંગજનોને કુલ રૂ.121.20 લાખની કિંમતના 1577 સાધનો આપવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.1,11,62,493 કિંમતના 1,017 દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે 1,637 જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.


