By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    7 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 week ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 week ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંવાદ અને સ્વીકાર પરમાત્માના પર્યાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સંવાદ અને સ્વીકાર પરમાત્માના પર્યાય છે

agragujaratnews
Last updated: 2024/11/21 at 3:22 AM
9 months ago
Share
સંવાદ અને સ્વીકાર પરમાત્માના પર્યાય છે
SHARE

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં ઓશોની એક ચેર હોય એવો એક પ્રસ્તાવ આવ્યો અને એ થયું. મારા પરમ સ્નેહી સત્યવેદાંતજીના નિમંત્રણથી અને અન્ય સર્વ ઓશોભક્તોના નિમંત્રણથી ત્યાં ઓશો ચેરના ઉદ્ઘાટનમાં મારે જવાનું થયેલું. એ દિવસે ત્યાં મેં જે કહેલું એ દોહરાવી રહ્યો છું.

મેં કહ્યું કે ઓશોનો અર્થ જાપાનની ઝેન પરંપરાના મહાપુરુષોએ અથવા તો ઓશોના ભક્તોએ જે કર્યો હોય અથવા તો એનો પારંપરિક અર્થ જે થતો હોય તે. મેં એ દિવસે કહ્યું હતું કે મારી સમજ અને મતિ અનુસાર મારે જો ઓશોનો અર્થ કરવો હોય તો હું એટલો જ કરીશ કે OSHO- ઓશો મીન્સ `ઓન સાઈલન્ટ હેપિનેસ ઓન.’ આપણી પોતાની શાંતિ, આપણું ખુદનું મૌન, જે ભીતરથી પ્રગટ થયાં હોય, ઉધાર નહીં અને આપણી ખુદની પ્રસન્નતા. એ જેનામાં પણ આવી જાય, દુનિયા એને પોકારે, ન પોકારે, બુદ્ધપુરુષોને કશી લેવાદેવા નથી હોતી, પરંતુ મારી દૃષ્ટિએ એ ઓશો છે.

આપણે જે શાંતિની વાતો કરીએ છીએ, આપણે બીજાને શાંત રહેવાનો ઉપદેશ આપીએ છીએ, શું એ આપણી નિજી શાંતિ છે? ખુદને પ્રશ્ન પૂછીએ. આપણે ચિંતન કરીએ કે આપણી શાંતિ ખુદની છે? શાંતિ તો સ્મશાનમાં પણ હોય છે, જેને આપણે સ્મશાનની શાંતિ કહીએ છીએ. ત્યાં કોઈ નથી બોલતા, બધાં ચૂપ થઈ જાય છે. શાંત તો મજબૂરીથી પણ થવું પડે છે. કોઈ મજબૂત માણસ, ક્રૂરકર્મી માણસ આપણને ડરાવીને પણ શાંત કરી દે છે. કેટલીક વિશેષ પરિસ્થિતિઓ પણ આપણને ચૂપ રહેવા માટે મજબૂર કરી દે છે.

તો અનેક પ્રકારે આપણે શાંત રહેવું પડે છે, પરંતુ એ `ઓન સાઈલન્ટ’નથી, ઉધાર છે. એ રીતે `હેપિનેસ ઓન.’ આપણો આનંદ પોતાનો છે? આપણી પ્રસન્નતા ખુદની છે? બુદ્ધપુરુષો માટે આઠે પહોર આનંદની વાતો આવે છે એ ત્યારે જ થઈ શકે છે, જેનામાં પોતાની ખુદની પ્રસન્નતા હોય છે, ઉધાર નહીં. અથવા તો મૂલ્ય ચૂકવીને ખરીદેલી પણ નહીં, ભીતરથી પ્રગટ થયેલી હોય. જ્યારે ખુદનું કંઈ નથી હોતું, જે ઉધાર હોય છે એ ક્યાં શાશ્વત હોય છે? એ તૂટી જાય છે. `રામચરિતમાનસ’ની એક ચોપાઈ છે,

નિજ સુખ બિનુ મન હોઈ કિ થીરા,

પરસ કિ હોઈ બિહીન સમીરા.

જ્યાં સુધી વ્યક્તિને ભીતરનું પોતાનું મૌલિક સુખ નથી મળતું, ત્યાં સુધી મન ક્યારેય સ્થિર નથી થતું.

હું આપને નિવેદન કરવા માગું છું, મારા વિચાર આપની સાથે શેર કરવા માગું છું. તમે જાણો છો કે હું ક્યારેય ઉપદેશ નથી આપતો, આદેશ પણ નથી આપતો. હું તો સંવાદ કરું છું. શ્રોતા-વક્તા, શ્રોતવ્ય-વક્તવ્ય એ વ્યવહારે ભેદમય છે, પરમાર્થિક રૂપમાં બંનેમાં કોઈ ભેદ નથી. ગુરુ અને શિષ્યમાં પણ વ્યવહારે ભેદ છે, અધ્યાત્મ અને પરમાર્થમાં એમાં કોઈ ભેદ નથી. એટલા માટે તો આદિ જગદ્ગુરુ કહે છે, `ગુરોનૈંવ શિષ્ય: ચિદાનંદ રૂપ: શિવોડહં શિવોડહમ્.’

ભરુચમાં પરમ પૂજ્ય સ્વામી તદ્રુપાનંદજીનો આશ્રમ છે `મનન’. એમણે વેદાંત પર, બ્રહ્મસૂત્ર પર બધા ગ્રંથો પર અધિકારપૂર્વક અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો. એમણે ક્યારેક કહ્યું છે કે સંવાદ કરનારા શ્રોતા-વક્તાને કોઈ જુદા નથી કરી શકતું, કેમ કે એ વ્યવહારે જુદા છે. મારા ગોસ્વામીજી પણ કહે છે, `શ્રોતા વક્તા ગ્યાન નિધિ.’ બંને એક સ્ટેજ પર છે, એક જ ભૂમિકા પર છે, એક જ અવસ્થામાં છે, જ્ઞાનનિધિ. તત્ત્વત: કોઈ ભેદ નથી. એવી રીતે જોઈએ તો તત્ત્વત: જીવન અને મૃત્યુમાં પણ કોઈ ભેદ નથી. એટલા માટે તો શંકર કહે છે, `ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ:’

તો પૂજ્ય સ્વામીજી પાસેથી ક્યારેક સાંભળ્યું છે અથવા તો ક્યાંક પત્રિકામાં વાંચ્યું છે, મને ખબર નથી, પરંતુ મને એનું સ્મરણ થઈ રહ્યું છે. સંવાદ કરનારા લોકોમાં એક ભલે શ્રેષ્ઠ હોય, એક ભલે પોતાની જાતને અજ્ઞાની સમજતા હોય, તત્ત્વત: એ ભેદ નથી. ગુરુ જ શિષ્યમાં ઊતરીને, પોતાને પૂરેપૂરા શિષ્યમાં ઉતારીને એની આત્મજ્યોતિને પ્રગટ કરે છે અને એ જ્યોતિમાં બધા ભેદ-ભ્રમ ટળી જાય છે. સંવાદ કરનારાને કોઈ જુદા કરી દે એ શક્ય નથી.

પ્યાર કરવાની સૌની જુદી જુદી રીત હોય છે. એક માણસ મંદિરમાં જાય છે, ભગવાન પ્રત્યે એની મહોબ્બત છે, પ્યાર છે, ભક્તિ છે તો ફૂલ ચડાવીને પોતાનો પ્યાર વ્યક્ત કરે છે. કોઈ જાય છે તો ભગવાનનાં ચરણોમાં જળ ચડાવીને, ભગવાન કૈલાસપતિ મહાદેવ વિશ્વનાથના શિવલિંગ પર જળનો અભિષેક કરીને પોતાની `મહોબ્બત, પોતાનો પ્યાર વ્યક્ત કરશે. કોઈ મા જગદંબાને ચૂંદડી ઓઢાડીને પોતાનો પ્યાર, પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. કોઈ સંકેતથી પ્યાર વ્યક્ત કરે છે. કોઈ મુસ્કુરાહટથી, કોઈ બોલીને, કોઈ મૌન રહીને પ્યાર વ્યક્ત કરે છે. કોઈ રડીને પ્યાર વ્યક્ત કરે છે. પોતપોતાની વિદ્યા હોય છે. હું મારા દિલની વાતો કહેવા માગું છું. હું આખી દુનિયાને પ્યાર કરી રહ્યો છું એટલે જણાવી રહ્યો છું, મારી રામકથા એ રામકથા તો છે જ, પરંતુ મારી રામકથા એ આપને પ્યાર કરવાની મારી વિદ્યા છે. હું આપની સાથે સંવાદ કરું છું.’

સંવાદ અને સ્વીકાર એ પરમાત્માના પર્યાય છે. ભગવાન રામે સૌનો સ્વીકાર કર્યો, સૌની સાથે સંવાદ કર્યો, એટલે એમને આપણે પરમાત્મા કહીને પોકાર્યા. જોઈએ ખુદનો ખુદ પર ભરોસો. એટલા માટે સંયોગ બને છે ત્યારે હું આપની સાથે સંવાદ કરી લઉં છું, એ રીતે હું આપને મળી લઉં છું, એ રીતે દેશ અને દુનિયાની આબાદી માટે મારી સંવેદના અને મારી મહોબ્બત પ્રગટ કરી રહ્યો છું. જગદ્ગુરુ શંકરાચાર્યએ પણ કહ્યું કે `ન મે જાતિભેદ:’. મને કોઈ જાતિભેદ પણ નથી રહ્યો. ભીતરી શાંતિ અને ભીતરી ખુદની હેપિનેસ એ જ અર્જિત કરીને સાંભળી શકે છે અને એને જ શાશ્વતી બક્ષી શકે છે જેના જીવનમાંથી ભેદ ટળી જાય છે. વેદાંતમાં કેટલાક શબ્દો છે, અભેદાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આનંદાનુભૂતિ, ઈશ્વરની અનુભૂતિ, આત્માનંદની અનુભૂતિ. આ ભેદથી જ્યારે આપણે મુક્ત થઈએ છીએ ત્યારે આપણે અભેદાનુભૂતિનો અનુભવ કરીએ છીએ. એ અભેદાનુભૂતિ જ આપણને શાશ્વત શાંતિ અને સદૈવ પ્રસન્નતાનું વરદાન આપે છે, જે ખુદને માટે ખુદથી નિર્મિત થયેલા છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
રાષ્ટ્રિય

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

By 2 days ago
Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?