By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જીવનની દરેક ઘટનાઓને ભજનનો ભાગ સમજીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જીવનની દરેક ઘટનાઓને ભજનનો ભાગ સમજીએ

agragujaratnews
Last updated: 2024/09/14 at 7:16 PM
2 years ago
Share
જીવનની દરેક ઘટનાઓને ભજનનો ભાગ સમજીએ
SHARE

સૂફી કથાઓમાં એક બોધકથા છે કે એક માણસને ગુરુ બનાવવો છે. શોધમાં નીકળે છે, પણ જ્યાં જાય ત્યાં એની પરીક્ષામાં ગુરુ! કારણ કે અમુક નક્કી કરીને ગયો હોય કે આવો હોય તો જ ગુરુ બનાવવો. એટલે એક મહાત્માની પાસે ગયો.

તો એ મહાત્મા હસતા હતા, બાળકો સાથે વાતો કરતા હતા. પેલાને થયું કે આ ખી-ખી કરે એ શું ગુરુ હોય? જતો રહ્યો. વળી અઠવાડિયું ગયું ને બીજા કોઈ મળી ગયા. તો એ તો આમ ચોવીસેય કલાક ગંભીર જ રહે! પેલાને થયું કે આમાં કાંઈ રસ જેવું છે જ નહીં, એને ગુરુ કેમ કરાય? વળી, અઠવાડિયા પછી ત્રીજી જગ્યાએ ગયો એટલે એક મહાત્મા ઉપવાસ કરે, ભયંકર ઉપવાસ! ઉપવાસ ખરાબ નથી, પણ `ગીતા’એ ના પાડી છે કે, જે માણસ અત્યંત ભૂખ્યો રહે, એ એની અંદર બેઠેલા મને દુ:ખ આપે છે.

લાઓત્સેએ કહ્યું કે આ જગતની અંદર દરેક માણસોની અંદર ત્રણ ખજાના છે અને એ ખજાનાની તમે રખેવાળી કરજો. એ જે સૂત્રો છે એમાં વધારો થાય એવું કરજો, તમે જ તમારી આત્મસત્તાની રખેવાળી કરજો. ત્રણ ખજાના. એક, પ્રેમ. આ લાઓત્સેના શબ્દો છે. બીજો ખજાનો, કોઈ દિવસ જીવનમાં કોઈ પણ વસ્તુમાં અતિ ન થવું અને ત્રીજો, લોકમંગલ માટે ઉપયોગી હોય તો તમારા એ સામર્થ્યનો બહુ જ સદુપયોગ કરવો, એમાં કોઈ દિવસ ડર ન રાખવો કે હું ખાલી થઈ જઈશ. એનો જેટલો સદુપયોગ કરશો એટલા તમે ભરાશો.

પ્રેમ આપણો ખજાનો છે અને લાઓત્સે તો એમ કહે છે કે, પ્રેમથી તમારામાં અભય આવશે. મારી વ્યાસપીઠ હંમેશાં એમ કહેતી રહી કે, સત્યથી અભય આવશે, પ્રેમથી ત્યાગ આવશે. હું કાંઈ તુલનામાં નથી ઊતર્યો, પણ મને મારું સત્ય હોય. લાઓત્સે કહે છે કે પ્રેમથી અભય ઉત્પન્ન થાય. થાય ચોક્કસ, પણ ઘણી વખત પ્રેમ કરનાર માણસ ડરતોય હોય છે કે મારા પ્રેમની કોઈ નિંદા ન કરી જાય! એને લોકનિંદાનો ડર ન લાગે, પણ થાય કે લોકો ખોટા અર્થો કાઢીને આ શાશ્વત સત્યને કાંઈક વિકૃત કરવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન કરશે! બાકી પ્રેમ અભય આપે જ. શું કામ ગંગાસતી મા એમ બોલ્યાં કે, `ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું.’ પણ એ ડર નથી અહીંયાં. પ્રેમને હંમેશાં એમ થાય કે મેં કૃષ્ણને ઉપાસ્યો છે, મારો કૃષ્ણ બદનામ ન થાય; એટલે એ ડરે. ભક્ત માણસ બહુ સંકોચી બનતો જાય.

તો લાઓત્સે પ્રેમનું ફળ અભય કહે છે. મારી વ્યાસપીઠે હંમેશાં એમ કહ્યું છે કે પ્રેમનું પરિણામ ત્યાગ છે. મારે એમ કહેવું છે કે વાતેય સાચી છે કે પ્રેમ અભય આપે, પણ આપણે જે રીતે ભક્તિને જોઈએ છીએ એમાં તો ક્યારેક પ્રેમ કરનારને એવું પણ લાગે કે હું જેને ભજું છું એને `કહીં દાગ ન લગ જાય.’ અને આખરે તો લાઓત્સે કહે એમ પ્રેમનું ફળ અભય આવે છે, તો પછી જ્યારે ત્યાગ આવે ત્યારે તો અભય આવે જ. ઘરમાં કાંઈ ન હોય એને કોણ લૂંટી લે?

તો લાઓત્સે કહે છે કે જીવનનો પહેલો ખજાનો પ્રેમ છે. એની રખેવાળી કરજો. બીજો ખજાનો જીવનમાં અતિ ન થવું. તો પેલો નીકળ્યો છે ગુરુ શોધવા. એકને જોયો, તો એ તો ભયંકર ઉપવાસ કરતો હતો. ચોથો ગુરુ ખૂબ પ્રેમથી જમતો હતો. કેટલાય ગુરુને જોયા, પણ ક્યાંય એનું મન લાગ્યું જ નહીં! પછી એણે સાંભળ્યું કે એક માણસ છે, એને હવે પકડી લઉં. પેલા મહાપુરુષ બેઠા હતા. કીધું કે બાપજી, તમને બધા બહુ માને છે, એટલે નક્કી કર્યું કે હવે અહીંયાં ગોઠવાઈ જાઉં. એટલે પેલાએ કહ્યું, મારે તને રાખવો નથી, કારણ કે હજી હું શોધું છું! કીધું કે તું કોને શોધવા નીકળ્યો છો? તો ગુરુએ કીધું, હું પરમ શિષ્યને શોધવા નીકળ્યો છું. પરમ ગુરુ તો ઘણા છે; સવાલ છે, આપણામાં રહેલું પરમ શિષ્યત્વ શોધવાનો.

તો અતિરેક ન થવો જોઈએ, એ બીજો ખજાનો છે લાઓત્સેનો. હું તો તમને ત્યાં સુધી કહું, તમે બહુ ભજન કરતા હો ત્યાં પણ તમારા છોકરાંઓ તમને એમ કહે કે સરકસ આવ્યું છે ગામમાં, મારી સાથે એ જોવા ચાલોને. તો છોકરાંઓને જોવા લઈ જજો. એને ભજનનો ભાગ સમજો. બહુ પ્રેક્ટિકલ રહો તમે. માળા તોડી નાખવાની નથી. ધીરેધીરે સૂક્ષ્મ થાય. ભજન એટલે શું? આ બધા વિભાગોને ભજનના ભાગ બનાવવા રહ્યા. તમે એનું અનુસંધાન છૂટે નહીં એ રીતે પાણી પીઓ, તો એ ભજન છે. જીવનના પ્રત્યેક દાયિત્વ નિભાવવાં; બધી જ ફરજોને ભજનનો ભાગ બનાવો. તમારી નોકરીને ભજનનો ભાગ બનાવો. અનુસંધાન બની રહે. આને જ અભ્યાસ કહેવાય અને આવું અનુસંધાન બની જતું હોય છે. એ બહુ અઘરું નથી. તમે રટ્યા જ કરો, રટ્યા જ કરો, પછી કોઈની સાથે વાતો કરતા હો, તો પણ તમારો માંહ્યલો જપતો હોય છે. બસમાં ભીડ હોય ત્યારે બેય હાથે સળિયો પકડી રાખવાનો હોય; ત્યારે હાથની માળા ન ફેરવો તો ચાલે. જીવનની દરેક ઘટનાઓને ભજનનો ભાગ બનાવીએ. આવું થઈ શકે છે. સાધુઓના એવા અનુભવો છે અને અઘરું કાંઈ નથી, થોડા અનુભવની જરૂર છે. સાચો બુદ્ધપુરુષ પોતાને ઘોષિત નથી કરતો કે હું પરમ ગુરુ છું, પણ કહે છે કે હું પરમ શિષ્યની શોધમાં છું.

તો જીવનમાં અતિ નહીં. યુક્ત આહારવિહાર. યુક્તાહારનો અર્થ છે, જમતાં-જમતાં એક પડાવ આવે કે જ્યારે આપણો માંહ્યલો એમ કહે કે હવે બે બટકાનો મોહ છોડી દે, તો તારી સ્ફૂર્તિ બની રહેશે. બધું છોડવાની વાત નથી. એ બે બટકા છોડો તો એ ઉપવાસ છે અને પછી ઠાંસી-ઠાંસીને ખાવ તો એ ભોગ છે.

લાઓત્સે કહે છે, અતિ ન થવું એ સાધકનો ખજાનો છે. કેટલું મોટું પ્રેક્ટિકલ સૂત્ર છે! હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ભજનનો પણ અતિરેક ન કરવો. જ્યારે જરૂર પડે કે મારા ઘરમાં અત્યારે આ કામ છે અને એ વખતે કદાચ તમને એમ થાય કે હું પૂજા નથી કરી શક્યો, તો એની પીડા ન હોવી જોઈએ. તમારા પરિવાર ને તમારા સમાજ માટે તમારું રહેલું દાયિત્વ, એનો પ્રામાણિકપણે નિર્વાહ કરવો, એ ભજનનો જ ભાગ છે.

અને ત્રીજું, આપણું જે સામર્થ્ય છે એ સાચું સામર્થ્ય છે, એવું જો આપણો માંહ્યલો આપણને કહેતો હોય અને એ દુનિયાને જો હું લૂંટાવીશ, તો એ મેં વહેંચ્યું એવા સમયે એવો ભય ન રાખવો કે ખાલી થઈ જઈશ. જેટલું આપશો એટલા તમે વધારે ભરાશો. તો આ ત્રણ ખજાના લાઓત્સેએ બતાવ્યા છે; ત્રણેયનાં ફળો પણ બતાવ્યાં છે.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 10 hours ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?