- વલસાડ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો કોરોના કેસ
- 5 મહિના બાદ વલસાડ સિવિલમાં કોરોના પોઝિટિવ કેસ
- સિવિલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ થયું દોડતું
વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ નોંધાયો છે. જેમાં નવસારીના રૂમલાનો એક દર્દી કોરોના પોઝિટિવ થયો છે. 5 મહિના બાદ વલસાડ સિવિલમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. તેથી સિવિલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેમાં રાજ્યના વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની એન્ટ્રી થઇ છે.
એક દર્દી કોરોના પોઝિટિવ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી
નવસારીના રૂમલાના એક દર્દી કોરોના પોઝિટિવ થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. દર્દી સારવાર માટે પ્રથમ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. 5 મહિના બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી દાખલ થયો છે. તેથી સિવિલ હોસ્પિટલ અને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. બીજી તરફ રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે, ફરી એકવાર શહેરમાં ઠેર ઠેર ડેન્ગ્યૂથી લઇને ચિકનગુનિયા અને વાયરલ ફિવરના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ગયા છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાની સ્થિતિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.
યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં હાર્ટ અટેકના કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે.વર્ષ 2022ની સરખામણીમાં અમદાવાદમાં 30 ટકા હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. વધતા જતા કેસને લઈ સરકારે તપાસ કરવી જોઈએ તેવી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી.
વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા
અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજ સરેરાશ 712, 2022માં 871 હાર્ટની બીમારીના કેસ નોંધાયા હતા. જેની તુલનામાં વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક અઠવાડિયામાં શહેરની સરકારી હોસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. તાજા આંકડા પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના 9, ચિકનગુનિયાના 8, શરદી-ઉધરસના 822 અને ઝાડા ઉલટીના 180 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓના ધસારાને જોતા સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલો પણ ઉભરાઇ રહી છે.